જીએસટી સુધારાઓ અર્થતંત્રમાં ₹2 લાખ કરોડનો ઉમેરો કરશે, લોકો પાસે વધુ પૈસા હશે: સીતારમણ
વિશાખાપટ્ટનમ, નવી દિલ્હી,17 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે જણાવ્યું હતું કે,” આગામી પેઢીના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સુધારાઓ અર્થતંત્રમાં ₹2 લાખ કરોડનો ઉમેરો કરશે. આનાથી લોકોના હાથમાં વધુ રોકડ
જીએસટી


વિશાખાપટ્ટનમ, નવી દિલ્હી,17 સપ્ટેમ્બર (હિ.સ.)

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે જણાવ્યું હતું કે,” આગામી પેઢીના

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સુધારાઓ અર્થતંત્રમાં ₹2 લાખ કરોડનો ઉમેરો કરશે. આનાથી લોકોના હાથમાં વધુ રોકડ આવશે, જે અન્યથા

કરવેરામાં ખોવાઈ જશે.”

નાણામંત્રીએ અહીં આયોજિત આગામી પેઢીના જીએસટી સુધારાઓ પર

આઉટરીચ અને ઇન્ટરેક્શન કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન, તેમણે વિવિધ

વેપાર સંગઠનોના વેપારીઓ અને વ્યવસાય પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું

હતું કે,” આ નવી પેઢીની કર પ્રણાલી, જેમાં ફક્ત બે સ્લેબ (5 અને 18%) છે,

તે અર્થતંત્રમાં ₹2 લાખ કરોડનો

ઉમેરો કરશે અને લોકો પાસે વધુ રોકડ હશે.”

સીતારમણે કહ્યું હતું કે,” 2025 સુધીમાં જીએસટીઆવક વધીને ₹22.08 લાખ કરોડ થશે.

કરદાતાઓની સંખ્યા 6.5 મિલિયનથી વધીને 15.1 મિલિયન થઈ ગઈ

છે.” તેમણે કહ્યું કે,” જીએસટીકર સુધારા પછી, 12% જીએસટી સ્લેબ હેઠળ આવતી 99% વસ્તુઓ હવે 5% સ્લેબમાં છે. આ

ફેરફારના પરિણામે, 28% કર સ્લેબ હેઠળ

આવતી 90% વસ્તુઓ હવે 18% સ્લેબમાં છે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande