નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને શહેરી વિકાસ મંત્રી
મનોહર લાલે બુધવારે ભાલસ્વા લેન્ડફિલ સાઇટની મુલાકાત લીધી અને સ્વચ્છતા હી
સેવા અભિયાન શરૂ કર્યું. આ પ્રસંગે, તેમણે સ્થળ પર કામ કરતા તમામ સ્વચ્છતા કર્મચારીઓ, એમસીડી કામદારો, કોન્ટ્રાક્ટરો, ડ્રાઇવરો અને
અન્ય કાર્યકારી કર્મચારીઓને તેમની મહેનતને માન્યતા આપવા માટે પ્રતિ વ્યક્તિ 5,000 રૂપિયાની
ગ્રાન્ટની જાહેરાત કરી. આ રકમ સંબંધિત વિભાગો અને સંગઠનો દ્વારા વહેંચવામાં આવશે.
મનોહર લાલે કહ્યું કે,” આવા કામમાં રોકાયેલા કામદારો દરરોજ
અસંખ્ય સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરે છે. તેથી, સંભવિત બીમારીઓની સમયસર ઓળખ અને સારવાર સુનિશ્ચિત કરવા માટે
તેમના માટે ટૂંક સમયમાં ખાસ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવશે.”
તેમણે ભાલસ્વા લેન્ડફિલ પર હાલના કચરાના નિકાલ અને
પ્રક્રિયા યોજનાઓની સમીક્ષા કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર આયોજિત
રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાનના ભાગ રૂપે એક પેડ મા કે નામ પહેલ હેઠળ
વૃક્ષારોપણ પણ કર્યું. મનોહર લાલે જણાવ્યું હતું કે,” સ્વચ્છતા અને ટકાઉ વિકાસ
માટે સમર્પિત આ અભિયાનનો ઉદ્દેશ્ય પર્યાવરણનું રક્ષણ કરવાનો અને સમાજમાં
સ્વચ્છતાની સંસ્કૃતિને મજબૂત કરવાનો છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ