પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લા પંચાયત સભાખંડ ખાતે
સ્વસ્થ નારી સશકત પરીવાર અભિયાન,સ્વછોત્સવ અને પોષણ માસ કાર્યક્રમમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અવેરનેસ કરવામાં આવી હતી.
જેમાં ફૂડ સેફર્ટી વાનના કર્મચારીઓ દ્વારા ખોરાકમાં થતી ભેળસેળ તેમજ ઘરેલુ પરીક્ષણનું માર્ગદર્શન આપતા વિવિધ પ્રકારના પેમ્પ્લેટનું વિતરણ કરી અને નાગરિકોમાં જાગૃતતા કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં ઔષધ નિયમન તંત્ર દ્વારા બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓને પર ચેકીંગ, દંડ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya