સુરત, 20 સપ્ટેમ્બર (હિ.સ.)-સલાબતપુરા વિસ્તારમાં મકાન ભાડે રાખનાર એક ભાડુઆત મકાન માલિકના કીમતી સોના-ચાંદીના દાગીના લઈને ગાયબ થઈ ગયો હતો.
સલાબતપુરા વિસ્તારમાં રહેતા અનિલભાઈ નારાયણભાઈ પટેલ (ઉ.વ.45) એ પોતાના મકાનમાં 15 દિવસ પહેલા એક ભાડુઆતને રાખ્યો હતો. થોડા દિવસો પછી અનિલભાઈને ઘરમાંથી 10 તોલા સોનાના દાગીના અને 1.5 કિલો ચાંદીના આભૂષણો ગુમ થયાનું જણાયું. તપાસ કરતા માલુમ પડ્યું કે ભાડુઆત પોતાનો સામાન લઈને ગાયબ થઈ ગયો છે.
સલાબતપુરા પોલીસે અનિલભાઈની ફરિયાદ આધારે અજાણ્યા ભાડુઆત સામે ગુનો દાખલ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે