પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં “પોષણ માસ”ની ઉજવણી અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અને અભિયાનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પોષણ વિષયક જનજાગૃતિ વધારવી, સંતુલિત આહાર અંગે લોકોમાં સમજણ ઉભી કરવી તથા કુપોષણ નિવારણ તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરાવવું એ ઉજવણીનો મુખ્ય હેતુ છે.પોષણ માહની ઉજવણી અંતર્ગત પોરબંદર-2 ઘટકના કૂલ 6 સેજાની કૂલ- 129 આંગણવાડીઓ કૂલ 2560 લાભાર્થીઓનું આંગણવાડી કેન્દ્રો ખાતે BMI સ્ક્રીનીગ અને તપાસ કરવામાં આવી હતી.
વધુમાં બાળકો, કિશોરીઓ, ગર્ભવતી અને ધાત્રી માતાઓ વગેરેની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી અને પૌષ્ટિક ખોરાક લેવો તેમજ ખોરાકમાં તેલ અને ખાંડનો વપરાશ ઘટાડવા, IRA ગોળી નિયમિત ગળવા,THRના ઉપયોગની જાણકારી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya