નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય રેલવે બોર્ડે બોટલબંધ પીવાના
પાણી 'રેલ નીર' અને અન્ય
શોર્ટલિસ્ટેડ બ્રાન્ડ્સના મહત્તમ છૂટક ભાવ (એમઆરપી) ઘટાડવાનો નિર્ણય લીધો છે, જેનાથી મુસાફરોને
રાહત મળશે.
રેલવે મંત્રાલય દ્વારા શનિવારે જારી કરાયેલા એક કોમર્શિયલ
પરિપત્ર અનુસાર, એક લિટર પાણીની
બોટલનો ભાવ ₹15 થી ઘટાડીને ₹14 કરવામાં આવ્યો
છે, અને અડધા લિટરની
બોટલનો ભાવ ₹10 થી ઘટાડીને ₹9 કરવામાં આવ્યો
છે. આ સુધારેલા દરો ફક્ત 'રેલ નીર' પર જ નહીં પરંતુ
રેલવે સ્ટેશન પરિસર અને ટ્રેનોમાં ઉપલબ્ધ અન્ય શોર્ટલિસ્ટેડ બ્રાન્ડ્સની પેકેજ્ડ
પાણીની બોટલો પર પણ લાગુ થશે. નવા ભાવ 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવે
અને IRCTC ને આ સંદર્ભે
જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ જારી કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ