પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી ૨જી ઓક્ટોબરને સમગ્ર દેશમાં સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025 ને 'સ્વચ્છોત્સવ' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રાણાવાવ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા 'સ્વચ્છોત્સવ' કાર્યક્રમ અંતર્ગત આગામી 17 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતાની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત સ્વચ્છોત્સવ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ સ્વચ્છોત્સવ રેલી રાણાવાવ ખાતે પે.સેન્ટર કુમાર શાળાથી નગરપાલિકા રાણાવાવ સુધી યોજાઈ હતી. અને રાણાવાવના નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. વધુમાં વિદ્યાર્થીઓએ સ્વછતા અપનાવવા માટે સપથ લેવામાં આવ્યા હતાં
ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા હી સેવા અભિયાન થકી નાગરિકો સ્વચ્છતાનું મહત્વ સમજાવીને ગામ, રાજ્ય અને દેશને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવા માટે પ્રેરિત કરી કાયમી સ્વચ્છતા અપનાવવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya