પોરબંદર જિલ્લાના રામનગર ગામે પ્રાકૃતિક ખેતી અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાયો
પોરબંદર, 21 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ક્લસ્ટરના રામનગર (વિલાસપુર) ગામ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે અવેરનેસ કાર્યક્રમનુ વિશેષ આયોજન કરવામાં આવ્યુ હતુ. નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) યોજના અંતર્ગત ગુજરાત પ્રાકૃતિ
પોરબંદર જિલ્લાના રામનગર ગામે પ્રાકૃતિક ખેતી અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 21 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ક્લસ્ટરના રામનગર (વિલાસપુર) ગામ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે અવેરનેસ કાર્યક્રમનુ વિશેષ આયોજન કરવામાં આવ્યુ હતુ.

નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) યોજના અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આ અવેરનેસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ દરમ્યાન પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતતા લાવવા માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે માહિતગાર કરવામા આવ્યા હતા.

આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તાલુકા પ્રોજેક્ટ મેનેજર સાવનભાઈ રાઠોડ તેમજ એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ પારસભાઈ મારૂ દ્વારા આ પ્રાકૃતિક ખેતી અંગે અવેરનેસ પ્રોગ્રામનુ આયોજન કરાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande