જશપુરીયા ખાતે રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં, સર્વે રોગ નિદાન કેમ્પ, 202 દર્દીઓને આરોગ્ય લાભ
મહેસાણા, 21 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સતલાસણા તાલુકાના જશપુરીયા ગામે ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન અંતર્ગત યોજાયેલા સર્વે રોગ નિદાન કેમ્પની મુલાકાત લીધી હતી. આ અભિયાન વડાપ્રધાનશ્રીના જન્મદિવ
જશપુરીયા ખાતે રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં સર્વે રોગ નિદાન કેમ્પ, 202 દર્દીઓને આરોગ્ય લાભ


જશપુરીયા ખાતે રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં સર્વે રોગ નિદાન કેમ્પ, 202 દર્દીઓને આરોગ્ય લાભ


મહેસાણા, 21 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સતલાસણા તાલુકાના જશપુરીયા ગામે ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન અંતર્ગત યોજાયેલા સર્વે રોગ નિદાન કેમ્પની મુલાકાત લીધી હતી. આ અભિયાન વડાપ્રધાનશ્રીના જન્મદિવસથી શરૂ કરાયું છે, જેમાં મહિલાઓ તથા ગ્રામજનોને નિશુલ્ક આરોગ્ય ચકાસણીની સુવિધા આપવામાં આવે છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. 20 સપ્ટેમ્બરના રોજ સવારે 9:00 કલાકે આ કેમ્પનું આયોજન કરાયું હતું. રાજ્યપાલશ્રીની હાજરીમાં યોજાયેલા આ કેમ્પમાં કુલ 202 દર્દીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. વિભાગવાર તપાસ મુજબ જનરલ તપાસ – 119, ગાયનેક તપાસ – 13, પીડીયાટ્રિક તપાસ – 20, ફિઝિશિયન તપાસ – 35, ડેન્ટલ તપાસ – 15, લેબ ટેસ્ટ – 104 તથા ફિઝિયોથેરાપી – 78 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી.

કેમ્પ દરમ્યાન 2 નવા ડાયાબિટીસના દર્દીઓ નિદાન કરાયા હતા. આ મેડિકલ કેમ્પ દ્વારા ગ્રામજનોને વિવિધ આરોગ્ય સેવાઓ મળી રહી છે સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ પણ પ્રસરી રહ્યો છે. આ અભિયાન ગામસ્તરેથી લઈને જિલ્લા સ્તરે આરોગ્ય સેવાને મજબૂત બનાવવામાં સહાયક બની રહ્યું

છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande