ગીર સોમનાથ 25 સપ્ટેમ્બર (હિ.સ.) વેરાવળ તાલુકામાં બિન અધિકૃત વહન બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા વેરાવળ તાલુકામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સઘન તપાસ દરમિયાન ૦૧ વાહનને બિન અધિકૃત રીતે વહન બદલ અટકાયત કરી રૂ.૦.૫૦ લાખની નિયમો અનુસાર દંડની રકમની વસૂલાત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ