તાલાલા પો.સ્ટે. વિસ્તારમાં, જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ગીર સોમનાથ, 25 સપ્ટેમ્બર (હિ.સ.)જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય, જે અનુસંધ
તાલાલા પો.સ્ટે. વિસ્તારમાં, જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ


ગીર સોમનાથ, 25 સપ્ટેમ્બર (હિ.સ.)જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય,

જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ.એમ.વી.પટેલ ના માર્ગદર્શન મુજબ પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ.લાલજીભાઇ બાંભણીયા તથા નરેન્દ્રભાઈ કછોટ નાઓને સંયુકત રીતે મળેલ બાતમી હકીકત આધારે તાલાલા પો.સ્ટે વિસ્તારના ઘુસીયા ગામે જાહેર જગ્યામાં જુગાર અંગે રેઇડ કરી ઇસમો વિરૂધ્ધ તાલાલા પો.સ્ટે. જુગારધારા કલમ-૧૨ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

-

> કબ્જે કરેલ મુદામાલ

(૧) રોકડ રકમ રૂ.૨૨,૨૫૦/-

કુલ મુદામાલ કી.રૂ.૨૨,૨૫૦/-

આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ

એલ.સી.બી. પો.ઇન્સ. એમ.વી.પટેલ,પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ, તથા એ.એસ.આઇ.લાલજીભાઇ બાંભણીયા તથા નરેન્દ્રભાઈ કછોટ

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande