જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા.૨૬ સપ્ટેમ્બરના ભરતી મેળો યોજાશે
જૂનાગઢ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ એચ.ડી.એફ.સી. લાઇફ ઇન્સ્યુરંન્સ, રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરંન્સ, કુદરત એગ્રો ટેક તથા ઇસ્ટાકાર્ટ સર્વિસ પ્રા.લી.
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા.૨૬ સપ્ટેમ્બરના ભરતી મેળો યોજાશે


જૂનાગઢ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ એચ.ડી.એફ.સી. લાઇફ ઇન્સ્યુરંન્સ, રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરંન્સ, કુદરત એગ્રો ટેક તથા ઇસ્ટાકાર્ટ સર્વિસ પ્રા.લી. કંપની ખાતે સેલ્સ ઓફિસર, ફાઇનાન્સીયલ કન્સલ્ટન્ટ, પાર્ટનર, લાઇફ પ્લાનિંગ ઓફિસર અને શોર્ટેર સ્ટાફની જગ્યાઓ માટે જગ્યાને અનુરૂપ એચ.એસ.સી, ડિપ્લોમા કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી” વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે તા.૨૬/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવ્યુ છે.

આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરવા એક અખબારી યાદીમા જણાવવામાં આવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande