નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર (હિ.સ.) ડિજિટલ પ્લેટફોર્મના વિકાસ, અપગ્રેડેશન અને જાળવણી અંગે ઇન્ડિયા ટ્રેડ
પ્રમોશન ઓર્ગેનાઇઝેશન (આઈટીપીઓ) અને નેશનલ ઇ-ગવર્નન્સ ડિવિઝન (એનઈજીડી) વચ્ચે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
ગુરુવારે ભારત મંડપમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં, આઈટીપીઓના
એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રેમજીત લાલ અને એનઈજીડીના ડિરેક્ટર સુનિલ શર્માએ એમઓયુ પર હસ્તાક્ષર
કર્યા. આ સહયોગથી વેપાર સુવિધામાં સુધારો, સીમલેસ ઇવેન્ટ અનુભવો અને તમામ હિસ્સેદારો માટે અદ્યતન
ડિજિટલ સેવાઓ શક્ય બનશે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ