કલકતા, નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, ગુરુવારે રાત્રે કલકતા પહોંચ્યા. તેઓ આજે અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. શાહ ઉત્તર કલકતામાં સંતોષ મિત્ર સ્ક્વેર સર્વજનીન દુર્ગા પૂજા સમિતિના દુર્ગા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કરશે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કાઉન્સિલર સજલ ઘોષ દ્વારા આયોજિત, પંડાલને ઓપરેશન સિંદૂર નામની દેશભક્તિ થીમથી શણગારવામાં આવ્યો છે, જે ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનની યાદ અપાવે છે.
પંડાલમાં પહેલગામ (જમ્મુ અને કાશ્મીર) આતંકવાદી હુમલા અને ત્યારબાદના સફળ લશ્કરી ઓપરેશન, ઓપરેશન સિંદૂર ની ઝલક જોવા મળે છે. સશસ્ત્ર દળો માટે રાષ્ટ્રીય ગૌરવ અને આદરની ભાવના જગાડવા માટે બ્રહ્મોસ મિસાઇલ અને એસ-400 સિસ્ટમની જીવંત પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. સમિતિના મહાસચિવ સજલ ઘોષે જણાવ્યું હતું કે, આ પંડાલનો હેતુ લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો છે. અમે સેનાની બહાદુરીને જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે.
કલકતામાં તેમના રોકાણ દરમિયાન, શાહ દક્ષિણ કલકતામાં કાલીઘાટ મંદિરના પણ દર્શન કરશે. ત્યારબાદ તેઓ બિહાર જશે, જ્યાં તેઓ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ બે દિવસની મુલાકાતે રહેશે. આ મુલાકાત દરમિયાન, તેઓ આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓ અંગે અનેક બેઠકોમાં ભાગ લેશે.
પહેલા દિવસે, શાહ પશ્ચિમ ચંપારણના બેતિયામાં ભાજપ કાર્યકરો સાથે બંધ બારણે બેઠક કરશે. અગાઉ 18 સપ્ટેમ્બરના રોજ, તેમણે દેહરી-ઓન-સોન અને બેગુસરાય વિસ્તારોમાં સમીક્ષા બેઠકો યોજી હતી. ત્યારબાદ પટણામાં ભાજપ રાજ્ય કાર્યાલય ખાતે ઉચ્ચ સ્તરીય રણનીતિ બેઠક યોજાશે, જેમાં બિહાર ભાજપના અધિકારીઓ, રાજ્ય સચિવો અને અન્ય રાજ્યોના ચૂંટણી જવાબદારીઓ સંભાળતા અધિકારીઓ હાજરી આપશે. તાજેતરમાં બિહાર ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત થયેલા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહેશે.
બીજા દિવસે, 27 સપ્ટેમ્બરના રોજ, શાહ સરૈરંજનમાં એક પ્રાદેશિક સભા કરશે અને અરરિયા જિલ્લાના ફોર્બ્સગંજમાં ભાજપના કાર્યકરોના વિશાળ સભાને સંબોધિત કરશે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંતોષ મધુપ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ