GST 2.0 અમલીકરણ પછી NCH ને 3,000 ફરિયાદો મળી
નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર (હિ.સ.): ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) 2.0 ના અમલીકરણ પછી, સરકારની રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન (NCH) ને કરવેરા ઓછી ચુકવણી સંબંધિત 3,000 ફરિયાદો મળી છે. આ ફરિયાદો વધુ કાર્યવાહી માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ
GST 2.0 અમલીકરણ પછી NCH ને 3,000 ફરિયાદો મળી


નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર (હિ.સ.): ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) 2.0 ના અમલીકરણ પછી, સરકારની રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન (NCH) ને કરવેરા ઓછી ચુકવણી સંબંધિત 3,000 ફરિયાદો મળી છે. આ ફરિયાદો વધુ કાર્યવાહી માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) ને મોકલવામાં આવી છે.

ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ સોમવારે અહીં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમને અત્યાર સુધીમાં 3,000 ગ્રાહક ફરિયાદો મળી છે. અમે તેમને વધુ કાર્યવાહી માટે CBIC ને મોકલી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું હતું કે ગ્રાહક બાબતોનું મંત્રાલય એવા કિસ્સાઓનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યું છે જ્યાં ઘટાડેલા GST દરોનો લાભ ગ્રાહકોને ન મળે તે માટે ભ્રામક ડિસ્કાઉન્ટિંગ પદ્ધતિઓ દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી છે.

ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ વધુમાં જણાવ્યું હતું કે મંત્રાલય વિવિધ ક્ષેત્રોમાં ફરિયાદો પર સ્પષ્ટ માહિતી મેળવવા માટે કૃત્રિમ બુદ્ધિમત્તા અને ચેટબોટ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. આ ફરિયાદ પ્રણાલી એવા સમયે આવી છે જ્યારે એવી ચિંતા છે કે રિટેલર્સ GST દર ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યા નથી, જેના કારણે સરકારે તેની દેખરેખ પ્રણાલીને મજબૂત બનાવી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે દેશમાં GST 2.0 લાગુ કર્યો છે, જે 2017 પછી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં સૌથી મોટો ફેરફાર છે. સુધારાના ભાગ રૂપે, ઘણા ક્ષેત્રોમાં GST કર દર ઘટાડવામાં આવ્યા છે, જે 22 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande