સેવા જ સંકલ્પ’: ભાવનગર મંડળના આરપીએફ એ નવું ઉદાહરણ પૂરું પાડયું,
વર્ષ 2025માં મુસાફરોની સુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને જનજાગૃતિ અભિયાનોમાં નોંધપાત્ર સફળતાઓ
સેવા જ સંકલ્પ’: ભાવનગર મંડળ


ભાવનગર, 8 સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે સુરક્ષા બળ (આરપીએફ) એ વર્ષ 2025માં જાન્યુઆરીથી ઓગસ્ટ મહિના દરમિયાન “સેવા જ સંકલ્પ” અભિયાન અંતર્ગત મુસાફરોની સુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને જનજાગૃતિને સર્વોપરી રાખતાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે. આઈ.જી.-સહ-પ્રધાન મુખ્ય સુરક્ષા આયુક્ત અજય સદાનીના કુશળ નેતૃત્વ અને મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ આરપીએફ ભાવનગર મંડળે રેલવે પરિસરની સુરક્ષા અને રેલ મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

જાન્યુઆરીથી ઓગસ્ટ 2025 દરમિયાનની મુખ્ય સિદ્ધિઓ આ મુજબ રહી:

• ઓપરેશન અમાનત: મુસાફરી દરમિયાન છૂટી ગયેલાં મુસાફરોના 140 કિંમતી સામાન (કિંમત ₹18,94,694/-) સુરક્ષિત પરત અપાયા.

• ઓપરેશન નન્હે ફરિશ્તે: ઘરેથી ભાગી ગયેલા 19 નાબાલિગ બાળકોને સલામત રીતે પરિવાર સાથે મિલાવાયા.

• ઓપરેશન રેલ સુરક્ષા: રેલવે સંપત્તિની ચોરીના કેસોમાં 35 આરોપીઓને પકડી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી.

• ઓપરેશન સમય પાલન: સવારી ગાડીઓમાં ચેન ખેંચીને અવરજવર ખોરવી નાખનારાઓ સામે કડક કાર્યવાહી કરતાં 123 કેસોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.

• ઓપરેશન જનજાગરણ: સ્ટેશનો, ગામો અને રેલવે ડિસ્પ્લે નેટવર્ક દ્વારા મુસાફરોને મહિલા સુરક્ષા, નશામુક્તિ, માનવ તસ્કરી તથા રેલવે સંપત્તિ સંરક્ષણ અંગે જાગૃત કરવામાં આવ્યા.

આરપીએફ ભાવનગર મંડળે પોતાની સતર્કતા, સમર્પણ અને કુશળતા દ્વારા સાબિત કર્યું છે કે, મુસાફરોની સુરક્ષા અને સુવિધા જ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. “સેવા જ સંકલ્પ” અંતર્ગત કરાયેલા આ પ્રયત્નો ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande