કટિહાર,નવી દિલ્હી, 08 સપ્ટેમ્બર
(હિ.સ.) રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ બિહારના કટિહાર જિલ્લાના સુખાસન ગામમાં દરોડો પાડ્યો. આ
દરમિયાન, એનઆઈએ ટીમે ગ્રામીણ
ઇકબાલને તેના ઘરેથી અટકાયતમાં લીધો અને તેના પરિવારને લેખિત નોટિસ સોંપી. ઇકબાલના
ભાઈ વાસિકે જણાવ્યું કે,” આ દરોડો સર્ચ વોરંટના આધારે કરવામાં આવ્યો હતો.”
સ્થાનિક લોકોએ જણાવ્યું કે,” એનઆઈએ ટીમે ગામમાં લગભગ અડધો
ડઝન અન્ય સ્થળોએ પણ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીને કારણે સમગ્ર વિસ્તારમાં
ગભરાટનો માહોલ છે અને ગ્રામજનો ચિંતિત છે.” સ્થાનિક લોકો કહે છે કે,” તેમણે આવો
દરોડો પહેલાં ક્યારેય જોયો નથી. લોકો જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ કાર્યવાહી
શા માટે કરવામાં આવી છે અને શું તે કોઈ મોટા નેટવર્ક સાથે જોડાયેલ છે.”
એનઆઈએ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. અધિકારીઓ
અને ગ્રામજનો હાલમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને વધુ માહિતીની રાહ જોઈ
રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / વિનોદ સિંહ / ગોવિંદ ચૌધરી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ