જેસંગપુરા ગામમાં જીવદયા ગ્રુપ દ્વારા શ્વાનો માટે શિરો બનાવવામાં આવ્યો
પાટણ, 12 જાન્યુઆરી (હિ.સ.)ઉતરાયણ પર્વ નિમિત્તે સરસ્વતી તાલુકાના જેસંગપુરા ગામમાં જીવદયા ગ્રુપ દ્વારા શ્વાનો માટે શિરો બનાવવામાં આવ્યો હતો. આ સેવા કાર્યમાં ગામના યુવાનોએ એકત્રિત થઈને ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો. ઉતરાયણ દરમિયાન પ્રાણીઓને ભોજન કરાવવ
જેસંગપુરા ગામમાં જીવદયા ગ્રુપ દ્વારા શ્વાનો માટે શિરો બનાવવામાં આવ્યો


પાટણ, 12 જાન્યુઆરી (હિ.સ.)ઉતરાયણ પર્વ નિમિત્તે સરસ્વતી તાલુકાના જેસંગપુરા ગામમાં જીવદયા ગ્રુપ દ્વારા શ્વાનો માટે શિરો બનાવવામાં આવ્યો હતો. આ સેવા કાર્યમાં ગામના યુવાનોએ એકત્રિત થઈને ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો.

ઉતરાયણ દરમિયાન પ્રાણીઓને ભોજન કરાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. આ દિવસે લોકો જીવદયાના ભાવથી ગાય, પક્ષી અને શ્વાન જેવા પ્રાણીઓને ખોરાક અર્પણ કરે છે.

જેસંગપુરાના ગ્રામજનોએ પણ આ પરંપરા જાળવી રાખી છે અને ઉતરાયણના દિવસે શ્વાનોને શિરો બનાવીને ખવડાવે છે. જીવદયા પ્રેમીઓ મુજબ હાલ સરસ્વતી તાલુકાના ઘણા ગામોમાં આવી સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande