ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર, ઈન્ડિયા-જર્મની સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત થશે
- વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, 2,000 થી વધુ જર્મન કંપનીઓ ભારતમાં લાંબા સમયથી છે. - ‘આવકારો મીઠો આપજે રે’ની ભાવના સાથે મર્ઝનું હાર્દિક અભિનંદન છ,વડાપ્રધાન મોદી ગાંધીનગર, 12 જાન્યુઆરી (હિ.સ.) : ગાંધીનગર મહાત્મા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન
India-Germany bilateral trade to cross $50 billion, India-Germany Centre of Excellence to be established


India-Germany bilateral trade to cross $50 billion, India-Germany Centre of Excellence to be established


India-Germany bilateral trade to cross $50 billion, India-Germany Centre of Excellence to be established


India-Germany bilateral trade to cross $50 billion, India-Germany Centre of Excellence to be established


- વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, 2,000 થી વધુ જર્મન કંપનીઓ ભારતમાં લાંબા સમયથી છે.

- ‘આવકારો મીઠો આપજે રે’ની ભાવના સાથે મર્ઝનું હાર્દિક અભિનંદન છ,વડાપ્રધાન મોદી

ગાંધીનગર, 12 જાન્યુઆરી (હિ.સ.) : ગાંધીનગર મહાત્મા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝએ વચ્ચે દ્વિ-પક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં વેપાર-રોકાણ મુદ્દે ચર્ચા થઈ હતી. ત્યારબાદ બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં વડાપ્રધાનએ કહ્યું હતું કે ‘આવકારો મીઠો આપજે રે’ની ભાવના સાથે મર્ઝનું ભારતમાં હાર્દિક અભિનંદન છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર થઈ ગયો છે અને ઈન્ડિયા-જર્મની સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત થશે.

ભારત અને જર્મની વચ્ચે ટેકનોલોજીકલ સહયોગ વર્ષ-દર-વર્ષે મજબૂત બન્યો છે, અને તેની અસર આજે જમીન પર સ્પષ્ટપણે દેખાય છે.

જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. જે બાદ તેઓએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026’નું ઉદ્ઘાટન કરીને પતંગ પણ ચગાવી હતી. જે બાદ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બેઠક કરી હતી. જે બાદ ગાંધીનગરમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ યોજી છે.જેમાં પીએમ મોદીએ જણાવ્યું કે, 2,000 થી વધુ જર્મન કંપનીઓ ભારતમાં લાંબા સમયથી છે. આ તેમના ભારત પરના અતૂટ વિશ્વાસ અને તેમાં રહેલી અપાર સંભાવનાને દર્શાવે છે.

વડાપ્રધાન મોદીએ આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, આ એક સુખદ સંયોગ છે કે, સ્વામી વિવેકાનંદે ભારત અને જર્મની વચ્ચે ફિલસૂફી, જ્ઞાન અને શ્રદ્ધાનો સેતુ બનાવ્યો. આજે, ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝની મુલાકાત એ સેતુને નવી ઉર્જા, નવો આત્મવિશ્વાસ અને નવો વિસ્તરણ પ્રદાન કરી રહી છે. ચાન્સેલર તરીકે આ તેમની માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાની પણ પ્રથમ મુલાકાત છે.

આ ભારત સાથેના સંબંધોને તેઓ જે મહત્વ આપે છે તેનો મજબૂત પુરાવો છે. તેમના વ્યક્તિગત ધ્યાન અને પ્રતિબદ્ધતા માટે હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું.

દેશોની અર્થવ્યવસ્થાઓ વચ્ચે ગાઢ સહયોગ સમગ્ર માનવતા માટે મહત્વપૂર્ણ

વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, ચાન્સેલર મેર્ઝની મુલાકાત એક ખાસ સમયે આવી છે. ગયા વર્ષે, અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષની ઉજવણી કરી હતી, અને આ વર્ષે, રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી પણ કરી રહ્યા છીએ.

આ સીમાચિહ્નો ફક્ત સમયના સીમાચિહ્નો નથી; તે અમારી સહિયારી મહત્વાકાંક્ષાઓ, પરસ્પર વિશ્વાસ અને સતત મજબૂત બનતા સહકારનું પ્રતીક છે. ભારત અને જર્મની જેવા દેશોની અર્થવ્યવસ્થાઓ વચ્ચે ગાઢ સહયોગ સમગ્ર માનવતા માટે મહત્વપૂર્ણ છે. વધતા વેપાર અને રોકાણ સંબંધોએ અમારી વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ આપી છે. આપણો દ્વિપક્ષીય વેપાર અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે, જે $50 બિલિયનને વટાવી ગયો છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે,2,000 થી વધુ જર્મન કંપનીઓ ભારતમાં લાંબા સમયથી છે. આ તેમના ભારત પરના અતૂટ વિશ્વાસ અને તેમાં રહેલી અપાર સંભાવનાને દર્શાવે છે. ભારત અને જર્મની વચ્ચે ટેકનોલોજીકલ સહયોગ વર્ષ-દર-વર્ષે મજબૂત બન્યો છે, અને તેની અસર આજે જમીન પર સ્પષ્ટપણે દેખાય છે. ભારત અને જર્મની નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં સામાન્ય પ્રાથમિકતાઓ ધરાવે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સંરક્ષણ અને સુરક્ષામાં વધતો સહયોગ આપણા પરસ્પર વિશ્વાસ અને સહિયારા દ્રષ્ટિકોણનું પ્રતીક છે. સંરક્ષણ વેપાર પ્રક્રિયાઓને સરળ બનાવવા બદલ હું ચાન્સેલર મર્ઝનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અમે સંરક્ષણ ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવા માટે એક રોડમેપ પર પણ કામ કરીશું, જે સહ-વિકાસ અને સહ-ઉત્પાદન માટે નવી તકો ખોલશે.

રવિન્દ્રનાથ ટાગોરની વાત કરતા તેમણે જણાવ્યું કે, ભારત અને જર્મની વચ્ચે ઐતિહાસિક અને ઊંડા લોકો-થી-લોકોના સંબંધો છે.

રવીન્દ્રનાથ ટાગોરના કાર્યોએ જર્મન બૌદ્ધિક વિશ્વને એક નવું દ્રષ્ટિકોણ આપ્યું. સ્વામી વિવેકાનંદની વિચારધારાએ જર્મની સહિત સમગ્ર યુરોપને પ્રેરણા આપી અને મેડમ કામાએ જર્મનીમાં પ્રથમ વખત ભારતની સ્વતંત્રતાનો ધ્વજ લહેરાવીને સ્વતંત્રતા માટેની આપણી આકાંક્ષાને વૈશ્વિક માન્યતા આપી. આજે, આપણે આ ઐતિહાસિક જોડાણને આધુનિક ભાગીદારીમાં પરિવર્તિત કરી રહ્યા છીએ.

જર્મન ચાન્સલરનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, આજનો ઉચ્ચ શિક્ષણ પરનો વ્યાપક રોડમેપ શિક્ષણ ક્ષેત્રે આપણી ભાગીદારીને નવી દિશા આપશે. હું જર્મન યુનિવર્સિટીઓને ભારતમાં તેમના કેમ્પસ ખોલવા માટે આમંત્રણ આપું છું. ભારતીય નાગરિકો માટે વિઝા-મુક્ત પરિવહનની જાહેરાત કરવા બદલ હું ચાન્સેલર મર્ઝનો આભાર વ્યક્ત કરું છું. આજે, અમે યુક્રેન અને ગાઝા સહિત અનેક વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી. ભારત હંમેશા બધી સમસ્યાઓ અને વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલની હિમાયત કરે છે અને આ દિશામાં કરવામાં આવી રહેલા તમામ પ્રયાસોને સમર્થન આપે છે. અમે એકમત છીએ કે આતંકવાદ સમગ્ર માનવતા માટે ગંભીર ખતરો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande