

પોરબંદર, 18 જાન્યુઆરી (હિ.સ.) : ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) યોજના અંતર્ગત આજે કુતિયાણા તાલુકાના ચૌટા ગામ ખાતે ખેડૂત મિત્રો માટે જિલ્લા અંદરની તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
તાલીમ દરમિયાન એગ્રી આસિસ્ટન્ટ પારસ મારુએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિની વિગતવાર સમજ આપી હતી. અને પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત સહિતના અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અને પ્રાકૃતિક ખેતીને સફળતાપૂર્વક અપનાવવા માટેના મુખ્ય પાંચ આયામો જેમાં જીવામૃત, ઘન જીવામૃત, અચ્છાદન, મિશ્ર પાક પદ્ધતિ તથા પ્રાકૃતિક અસ્ત્રો અંગે પ્રેક્ટિકલ માહિતી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya