પ્રધાનમંત્રી મોદીએ, સમાજ સુધારક મન્નથુ પદ્મનાભનનું તેમની જન્મજયંતિ પર પુણ્યસ્મરણ કર્યું
નવી દિલ્હી, 2 જાન્યુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કેરળના મહાન સમાજ સુધારક મન્નથુ પદ્મનાભનનું તેમની 48મી જન્મજયંતિ પર પુણ્યસ્મરણ કર્યું. તેમણે કહ્યું કે, તેમના આદર્શો ન્યાયી, દયાળુ અને સુમેળભર્યા સમાજનો સંદેશ આપે છે. તેમના આદર્શો આપ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પોસ્ટ


નવી દિલ્હી, 2 જાન્યુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કેરળના મહાન સમાજ સુધારક મન્નથુ પદ્મનાભનનું તેમની 48મી જન્મજયંતિ પર પુણ્યસ્મરણ કર્યું. તેમણે કહ્યું કે, તેમના આદર્શો ન્યાયી, દયાળુ અને સુમેળભર્યા સમાજનો સંદેશ આપે છે. તેમના આદર્શો આપણને બધાને માર્ગદર્શન આપતા રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું, મન્નથુ પદ્મનાભનની જન્મજયંતિ પર, અમે તેમને ઊંડા આદર સાથે યાદ કરીએ છીએ. તેમનું આખું જીવન સમાજની સેવા માટે સમર્પિત હતું. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા. તેઓ માનતા હતા કે સાચી પ્રગતિ ગૌરવ, સમાનતા અને સામાજિક સુધારણામાં રહેલી છે. આરોગ્ય, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં તેમના પ્રયાસો પ્રેરણાદાયક છે. તેમના આદર્શો આપણને ન્યાયી, કરુણાપૂર્ણ અને સુમેળભર્યા સમાજનો સંદેશ આપે છે.

ઉલ્લેખનીય છે કે, 2 જાન્યુઆરી, 1878 ના રોજ જન્મેલા મન્નથુ પદ્મનાભન, એક મહાન સમાજ સુધારક, સ્વતંત્રતા સેનાની અને નાયર સેવા સમાજના સ્થાપક હતા. તેઓ નાયર સમુદાયના ઉત્થાન અને કેરળમાં સામાજિક સમાનતા માટેના તેમના કાર્ય માટે જાણીતા છે. તેમને ભારત કેસરીના બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સરદાર કે.એમ. પાણિકરે, તેમને કેરળના મદન મોહન માલવિયા તરીકે ઓળખાવ્યા હતા. તેમને 1966માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

તેમણે નીચલી જાતિના લોકો માટે મંદિર પ્રવેશ મેળવવા માટે વૈકોમ સત્યાગ્રહ (1924) અને ગુરુવયૂર સત્યાગ્રહ (1931)માં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમણે કેરળમાં સેંકડો શાળાઓ, કોલેજો અને હોસ્પિટલોની સ્થાપના પણ કરી હતી. તેઓ 1949માં ત્રાવણકોર વિધાનસભાના સભ્ય પણ હતા.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande