
નવી દિલ્હી, 2 જાન્યુઆરી (હિ.સ.). મહાભારતના એક શ્લોકમાંથી પ્રેરણા લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, દેશવાસીઓને દૃઢ નિશ્ચય સાથે આગળ વધવા વિનંતી કરી. તેમણે નવા વર્ષમાં દરેક પ્રયાસમાં સફળતા અને તેમના સંકલ્પોની પરિપૂર્ણતાની શુભેચ્છા પાઠવી.
તેમણે આજે સવારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, હું તમને આવનારા વર્ષોમાં દરેક પ્રયાસમાં સફળતાની શુભેચ્છા પાઠવું છું. નવા વર્ષમાં તમારા સંકલ્પો દૃઢ નિશ્ચય અને ઇચ્છાશક્તિ સાથે પૂર્ણ થાય. પ્રધાનમંત્રી મોદીએ આ પોસ્ટ સાથે શ્લોક લખ્યો છે,
ઉત્થાતવ્યં જાગુતવ્યં યોકતવ્યં ભૂતિકર્મસુ. ભવિષ્યતિત્યેવ મનઃ કૃત્વા સતામવ્યથૈ.
આ શ્લોક મહાભારતના ઉદ્યોગ પર્વ (135/29) માંથી છે. આનો અર્થ છે, વ્યક્તિએ ઉઠવું જોઈએ, જાગવું જોઈએ અને એશ્વર્ય (લાભકારી) પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું જોઈએ. 'મારું કાર્ય ચોક્કસ પૂર્ણ થશે' એવો દૃઢ નિશ્ચય રાખીને, વ્યક્તિએ ચિંતા કર્યા વિના કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ