પાટણ ચૌધરી સમાજે પાલનપુર હત્યા કેસમાં નિષ્પક્ષ તપાસની માંગ સાથે પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ
પાટણ, 02 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ ચૌધરી સમાજે પાલનપુર હત્યા કેસમાં નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસની માંગ સાથે પાટણ કલેક્ટર તુષાર ભટ્ટને આવેદનપત્ર સુપરત કર્યું છે. આવેદનમાં આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા અને કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની
પાટણ ચૌધરી સમાજે પાલનપુર હત્યા કેસમાં નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસની માંગ સાથે પાટણ કલેક્ટર તુષાર ભટ્ટને આવેદનપત્ર


પાટણ ચૌધરી સમાજે પાલનપુર હત્યા કેસમાં નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસની માંગ સાથે પાટણ કલેક્ટર તુષાર ભટ્ટને આવેદનપત્ર


પાટણ, 02 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ ચૌધરી સમાજે પાલનપુર હત્યા કેસમાં નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસની માંગ સાથે પાટણ કલેક્ટર તુષાર ભટ્ટને આવેદનપત્ર સુપરત કર્યું છે. આવેદનમાં આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા અને કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ કરવામાં આવી છે.

આ પૂર્વયોજિત અને ગંભીર હત્યાની ઘટના 20 ડિસેમ્બર, 2025ના રોજ પાલનપુર-અમદાવાદ હાઈવે પર બની હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના રહેવાસી ભરતભાઈ ગણેશભાઈ ચૌધરી પર તલવાર, ધોકા અને લોખંડની પાઇપ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. આ હુમલામાં તેમના મિત્ર નીતિન ચૌધરીને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી.

પોલીસ તપાસ મુજબ આ હુમલો જાનથી મારી નાખવાના સ્પષ્ટ ઇરાદાથી કરવામાં આવ્યો હતો અને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ભાર્ગવ ઉર્ફે લાલો નિમેષભાઈ માળી સહિતના આરોપીઓ સામે FIR નોંધાઈ છે. મુખ્ય આરોપી સામે અગાઉ સાત ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનો ઉલ્લેખ કરીને સમાજના આગેવાનોએ કાયદો-વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande