ચાણસ્મામાં નિવૃત્ત શિક્ષક મંડળી દ્વારા સ્વ. ગાંડાભાઈના પરિવારને મૃત્યુ સહાય
પાટણ, 03 જાન્યુઆરી (હિ.સ.)ચાણસ્મા ખાતે નિવૃત્ત પ્રાથમિક શિક્ષકોની નાણાં ધિરનારી સહકારી મંડળી દ્વારા તેમના સભાસદ સ્વ. ગાંડાભાઈના અવસાન બાદ નિયમ મુજબ તેમના પરિવારને મૃત્યુ સહાય આપવામાં આવી. મંડળીના દરેક સભાસદના ખાતામાંથી ₹200 લેખે રકમ ઉધાર લેવામાં આવ
ચાણસ્મામાં નિવૃત્ત શિક્ષક મંડળી દ્વારા સ્વ. ગાંડાભાઈના પરિવારને મૃત્યુ સહાય


પાટણ, 03 જાન્યુઆરી (હિ.સ.)ચાણસ્મા ખાતે નિવૃત્ત પ્રાથમિક શિક્ષકોની નાણાં ધિરનારી સહકારી મંડળી દ્વારા તેમના સભાસદ સ્વ. ગાંડાભાઈના અવસાન બાદ નિયમ મુજબ તેમના પરિવારને મૃત્યુ સહાય આપવામાં આવી. મંડળીના દરેક સભાસદના ખાતામાંથી ₹200 લેખે રકમ ઉધાર લેવામાં આવી હતી.

આ રીતે કુલ 191 સભાસદો પાસેથી ₹38,200 (આડત્રીસ હજાર બસો) એકત્રિત કરી સહાયનો ચેક સ્વ. ગાંડાભાઈના વારસદાર અ.સૌ. ચંપાબેન દેસાઈ તથા તેમના બંને સુપુત્રોને સુપરત કરવામાં આવ્યો.

ચેક મંડળીની ઓફિસેથી અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળીના પ્રમુખ નાગજીભાઈ દરબાર, મંત્રી ચુનીલાલ યોગી, પેન્શનર મંડળના પ્રમુખ ચંદુભાઈ પટેલ સહિત લાલસિંહભાઈ પરમાર, શંકરભાઈ પટેલ, ઇન્દુમતિબેન રાવલ, રામાભાઈ સથવારા અને અરજણભાઈ રાવળ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande