હેમા માલિનીએ કૌટુંબિક વિખવાદની અફવાઓને, સ્પષ્ટપણે નકારી કાઢી
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિનીએ ધર્મેન્દ્રના મૃત્યુ પછી, કૌટુંબિક વિખવાદના અહેવાલો પર પોતાનું મૌન તોડ્યું છે, બધી અફવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધી છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર અલગ પ્રાર્થના સભાઓ
હેમા


નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિનીએ

ધર્મેન્દ્રના મૃત્યુ પછી, કૌટુંબિક વિખવાદના અહેવાલો પર પોતાનું મૌન તોડ્યું છે, બધી અફવાઓને

સ્પષ્ટપણે ફગાવી દીધી છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર અલગ પ્રાર્થના સભાઓ અંગે વિવિધ ચર્ચાઓ થઈ

હતી, અને હેમા માલિનીએ

સ્પષ્ટપણે કહ્યું હતું કે,” પરિવાર સંપૂર્ણપણે એક છે અને બધા સભ્યો એકબીજા પ્રત્યે

ઊંડો પ્રેમ ધરાવે છે.”

વાતચીતમાં, હેમાએ કહ્યું કે,” આખો પરિવાર ધર્મેન્દ્ર સાથે ઉભો છે.”

તેણીએ કહ્યું કે,” પછી ભલે તે તેની પુત્રીઓ એશા દેઓલ અને આહના દેઓલ હોય કે

પરિવારના અન્ય સભ્યો સની દેઓલ અને બોબી દેઓલ, દરેક વ્યક્તિ ધર્મેન્દ્રને ખૂબ પ્રેમ કરે છે અને એકબીજા

સાથે સારા સંબંધો ધરાવે છે. તેણીએ ભાર મૂક્યો કે જ્યાં ધર્મેન્દ્ર જેવું

વ્યક્તિત્વ મોટું દેખાય છે,

ત્યાં

નકારાત્મકતા માટે કોઈ જગ્યા નથી.”

તેણીના અંગત જીવન વિશે, હેમાએ સ્પષ્ટપણે કહ્યું કે,” તેનો પરિવાર આ ભાવનાત્મક

ક્ષણોને જાહેરમાં પ્રદર્શિત કરવામાં માનતી નથી.” તેણીએ કહ્યું કે,” તેણીને

બોર્ડર 2 ના સ્ક્રીનિંગ

માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે હાજર રહી શકી ન હતી. આમ છતાં, પરિવારના સભ્યો

વચ્ચે કોઈ અંતર નથી, અને તેઓ બધા આ

મુશ્કેલ સમયનો સામનો સાથે કરી રહ્યા છે.” હેમાએ જનતાને અપીલ કરી કે,” તેઓ અફવાઓ પર

ધ્યાન આપવાને બદલે સત્યને સમજે અને પરિવારની ગોપનીયતાનો આદર કરે.”

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande