જામજોધપુરમાં પાણી વિતરણનો સમય બદલાયો : વિવિધ વિસ્તારો માટે નવા સમય જાહેર
જામનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : જામજોધપુર નગરપાલિકાએ શહેરમાં પાણી પુરવઠાના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. આ નવું સમયપત્રક 1 માર્ચથી અમલમાં આવશે. નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા નવા સમય મુજબ, ઉમિયા નગરમાં સવારે 5:50 થી 6:30 વાગ્યા સુધી પાણીનો પુરવઠો પ
જામજોધપુર નગરપાલિકા


જામનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) :

જામજોધપુર નગરપાલિકાએ શહેરમાં પાણી પુરવઠાના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. આ નવું સમયપત્રક 1 માર્ચથી અમલમાં આવશે. નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા નવા સમય મુજબ, ઉમિયા નગરમાં સવારે 5:50 થી 6:30 વાગ્યા સુધી પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે. તિરુપતિ સોસાયટીમાં સવારે 6:50 થી 7:30 વાગ્યા સુધી પાણી મળશે.

આ ઉપરાંત, ગાયત્રી નગરમાં સવારે 5:50 થી 6:30 વાગ્યા સુધી પાણી મળશે, જ્યારે શાંતિ નગરમાં સાંજે 5:50 થી 6:30 વાગ્યા સુધી પાણીનો પુરવઠો ઉપલબ્ધ રહેશે. નગરપાલિકાએ વિવિધ વિસ્તારોની જરૂરિયાત અને માંગને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande