



અંબાજી, 01 માર્ચ (હિ.સ.) રંગોના તહેવાર ધુળેટીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ વખતે હોળી ઉપર ચંદ્રગ્રહણ હોવાથી ધુળેટી નો તહેવાર એક દિવસ પાછો ઠેલાયો છે ત્યારે હોળીના તહેવારોને લઇ અંબાજી ના બજારોમાં લોકોની ભીડ તો જોવા મળી રહી છે પરંતુ કલર ફૂલ હોળીને લઇ વેપારીઓનો રંગ ક્યાંક ફીકો પડતો હોય તેવું લાગી રહ્યું છે અંબાજીમાં ઠેક ઠેકાણે વિવિધ પ્રકારની બાળકોને આકર્ષિત કરતી પિચકારીઓ અને રંગની દુકાનો તેમજ લારીઓ જોવા મળી રહી છે ત્યારે દુકાનદારો ગ્રાહકોની રાહ જોઈને બેઠા હોય તેવું લાગી રહ્યું છે અંબાજીમાં કેટલાક વેપારીઓ સારા વેપાર ની અપેક્ષા એ માલ તો ભરી દીધો છે પરંતુ ધુળેટી ના તહેવાર ને લઇ વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે જ્યાં રૂપિયા 50 થી લઇ 500 સુધીની વેરાયટી વાળી પિચકારી બજાર માં જોવા મળી રહી છે અને ગ્રાહકો પણ મોંઘવારી ને લઈને હાલ તબક્કે પિચકારી લેવાનું ટાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે બજારમાં કેમિકલ વાળા કલરો સાથે અબીલ ગુલાલ અને હર્બલ કલરના મોટો જથ્થો જોવા મળી રહ્યો છે ખાસ કરીને આ વખતે ધુળેટી ના તહેવાર માટે લોકો કેમિકલ વાળા કલર છોડી અબીલ ગુલાલ અને હર્બલ કલર ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે કેમિકલ વાળા કલર ચામડીને મોટું નુકસાન પહોંચાડે છે અને લાંબા સમય સુધી કલર પણ ઉતરતો નથી ત્યારે લોકો આ વખતે પોતાના તથા પોતાના મિત્રોની ચામડીન બગડે તેનો ખ્યાલ રાખી અબીલ ગુલાલ જેવા કલરો ખરીદી રહ્યા છે અને વેપારીઓ પણ કેમિકલ કલર કરતા સાદા કલર જે ચામડીને નુકસાન ન કરે તેવા અને અબીલ ગુલાલ વેચાણ નો આગ્રહ રાખી રહ્યા છે સ્થાનિક લોકો પણ તહેવાર માં કોઈની ચામડી બગડે નહિ અને અરસપરસ લોકોમાં પણ પ્રેમ ભાવ બનેલો રહે તે માટે તિલક હોળી રમવા ની સાથે અબીલ ગુલાલ જેવા કલરો થી ધુળેટી રમવા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના તાલુકા પ્રમુખ મહેન્દ્ર અગ્રવાલ એ અપીલ કરી છે જોકે ગ્રહણ ને કારણે એક દિવસ ધુળેટી નો તહેવાર મોડો હોવાથી મોડી ઘરાકી ખુલી શકે છે જોકે આવતી કાલે અંબાજી ખાતે ગ્રહણ ના પગલે એક દિવસ વહેલા હોળી પ્રગટાવવાની હોઈ બજારમાં લોકો ધાણી નો પણ ઢગલો કરી વેપાર માટે મૂકી રાખી છે અને તેના પણ સારા વેપારની અપેક્ષા રાખી રહ્યા છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ