આજે મદુરાઈમાં અન્નાદ્રમુક -બીજેપી ગઠબંધનની ચૂંટણી રેલી, પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે, આજે રાત્રે ચેન્નઈ પહોંચી રહ્યા છે
ચેન્નઈ, નવી દિલ્હી,01 માર્ચ (હિ.સ.) મદુરાઈમાં આજની ચૂંટણી રેલીમાં હાજરી આપવા માટે ચેન્નાઈ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું, પાર્ટી કાર્યકરો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. અન્નાદ્રમુક -બીજેપીગઠબંધન વિધાનસભા
નમો


ચેન્નઈ, નવી દિલ્હી,01 માર્ચ (હિ.સ.) મદુરાઈમાં આજની ચૂંટણી રેલીમાં

હાજરી આપવા માટે ચેન્નાઈ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું, પાર્ટી કાર્યકરો

દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. અન્નાદ્રમુક -બીજેપીગઠબંધન વિધાનસભા

ચૂંટણીની તૈયારીઓમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત છે. પ્રધાનમંત્રી મોદીએ ગયા મહિને

મદુરંતકમમાં પ્રચાર કર્યો હતો. અન્નાદ્રમુકના મહાસચિવ

એડાપ્પડી પલાનીસ્વામી અને ગઠબંધન પક્ષોના નેતાઓ તે રેલીમાં હાજરી આપી હતી.

આ ક્રમમાં,

પ્રધાનમંત્રી મોદી ગઈકાલે

રાત્રે ચૂંટણી પ્રચાર માટે બીજી વખત ચેન્નઈ પહોંચ્યા હતા. ગુજરાતથી ખાસ ફ્લાઇટ

દ્વારા ચેન્નઈ એરપોર્ટ પર પહોંચ્યા બાદ, રાજ્યપાલ આર.એન. રવિ, રાજ્ય સરકાર વતી

મંત્રી થંગમ થેન્નારસુ અને મુખ્ય સચિવ મુરુગાનંદમે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું

હતું. અન્નાદ્રમુકના મહાસચિવ એડપ્પાડી પલાનીસ્વામી,

કેન્દ્રીય મંત્રી એલ.મુરુગન,

ભાજપના પ્રદેશ પ્રમુખ

નૈનાર નાગેન્દ્રન અને તમિલનાડુના ભૂતપૂર્વ ભાજપ પ્રમુખ તમિલિસાઈ સુંદરરાજન સહિત

અનેક નેતાઓએ પંતપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું.

મોટી સંખ્યામાં

ભાજપ અને અન્નાદ્રમુક કાર્યકરો એરપોર્ટ નજીક રસ્તા પર એકઠા થયા હતા, ઢોલ અને વિજયના નારાઓ સાથે તેમનો જયઘોષ કર્યો

હતો. વડા પ્રધાને શુભેચ્છા સ્વીકારી અને કાર દ્વારા ગિન્ડીમાં રાજભવન તરફ પ્રયાણ

કર્યું.

વડાપ્રધાનનો

કાર્યક્રમ-

વડાપ્રધાન મોદી

આજે સવારે 11:30 વાગ્યે ચેન્નઈથી

ખાસ વિમાન દ્વારા, પોડેચેરી જવા રવાના થશે. ત્યાં એક સરકારી કાર્યક્રમમાં હાજરી

આપ્યા બાદ, તેઓ બપોરે 1:55 વાગ્યે તંજાવુર એરફોર્સ બેઝ પર હેલિકોપ્ટર

દ્વારા પહોંચશે. ત્યારબાદ તેઓ વિમાન દ્વારા રવાના થશે અને બપોરે 2:45 વાગ્યે મદુરાઈ એરપોર્ટ પહોંચશે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

ત્યારબાદ વડાપ્રધાન મદુરાઈ એરપોર્ટ સંકુલમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે અને નવી રેલ

સેવાઓ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.

રેલ્વે

સ્ટેશનોનું ઉદ્ઘાટન-

ખાસ કરીને દક્ષિણ

જિલ્લાઓમાં ચાલી રહેલા અનેક રોડ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. ભારતીય

રેલ્વેએ અમૃત ભારત અભિયાન હેઠળ દેશભરમાં 1,300 રેલ્વે સ્ટેશનોનો આધુનિક સુવિધાઓ સાથે

પુનર્વિકાસ કર્યો છે. તમિલનાડુમાં આઠ રેલ્વે સ્ટેશનો, જેમાં પુમ્બડી, મોરપ્પુર, તિરુવરુર, પોલ્લાચી, કારેકુડી, મનપ્પારઈ, ચોલવંદન અને શ્રીવિલ્લીપુથુરનો સમાવેશ થાય છે,

અને ચેન્નઈ બીચ અને

એગ્મોર વચ્ચેનો ચોથો રેલ્વે લાઇન પ્રોજેક્ટ (₹378 કરોડનો ખર્ચ) નું ઉદ્ઘાટન કરવામાં આવશે.

પ્રધાનમંત્રી મોદી મદુરાઈ એરપોર્ટથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ સ્ટેશનોનું

ઉદ્ઘાટન કરશે.

તિરુપરંકુંદ્રમ મંદિરની મુલાકાત-

ત્યારબાદ તેઓ

સાંજે 4 વાગ્યે તિરુપરંકુંદ્રમ

મુરુગન મંદિર જશે અને પ્રાર્થના કરશે. તેઓ સાંજે 4:30 વાગ્યે જાહેર સભા સ્થળ પર પહોંચશે. મંડેલા

નગરમાં આશરે 150 એકર વિસ્તારને

આવરી લેતા આ કાર્યક્રમ માટે વિસ્તૃત તૈયારીઓ કરવામાં આવી છે. એક વિશાળ સ્ટેજ

બનાવવામાં આવ્યું છે, અને પીવાના પાણી,

શૌચાલય અને તબીબી સુવિધાઓ

સહિતની તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

ગઠબંધન પક્ષોના

નેતાઓ હાજરી આપશે-

જાહેર સભામાં અન્નાદ્રમુકના

મહાસચિવ એડાપ્પડી પલાનીસ્વામી, કેન્દ્રીય

મંત્રીઓ પીયૂષ ગોયલ અને એલ. મુરુગન, ભાજપના પ્રદેશ પ્રમુખ નૈનાર નાગેન્દ્રન, ભૂતપૂર્વ પ્રમુખ અન્નામલાઈ અને તમિલિસાઈ

સુંદરરાજન, વગેરે હાજર

રહેશે. એએમએમકે ના મહાસચિવ ટીટીવી દિનાકરન,પીએમકે ના પ્રમુખ અંબુમણી રામદાસ, જી.કે. વાસન, એ.સી. શનમુગમ, પારિવેંદર, જોન પાંડિયન, પૂર્વે જગન મૂર્તિ અને અન્ય ઘણા લોકો સહિત

ગઠબંધન પક્ષોના નેતાઓ પણ ભાગ લેશે.

સ્થળ પર કડક

સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 20 થી વધુ ટીમો ધરાવતી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સ્નિફર ડોગ્સ સાથે સંપૂર્ણ તપાસ

કરી રહી છે. તમામ પક્ષના કાર્યકરોને સંપૂર્ણ તપાસ પછી જ સ્થળમાં પ્રવેશવાની મંજૂરી

આપવામાં આવશે.

હિન્દુસ્થાન

સમાચાર / ડૉ. વારાપ્રસાદ રાવ પીવી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande