
જામનગર, 02 માર્ચ (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ભાયાભાઈ લખમણભાઇ છેલાણા નામના 50 વર્ષના ખેડૂત પ્રૌઢ ઉપર મેલાણ ગામના વતની રમેશ દાસાભાઈ હુણ, ભાવેશ દાસાભાઈ હુણ, સમીર દાસાભાઈ હુણ અને ભરત ભીમાભાઇ હુણ નામના ચાર શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ની ભત્રીજી સાથે આરોપી સમીરે ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા, જે મામલે સમાધાન કરવા માટે બોલાવ્યા બાદ સમાધાન નહીં થતા આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.કે કંડોરીયા સમગ્ર મામલે વધૂ તપાસ ચલાવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt