
પોરબંદર, 02 માર્ચ (હિ.સ.) પોરબંદરના ગીતાનગરમાં રહેતી એક પરિણિતાએ ફિનાઈલ પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી તેમને સમયસર સારવાર મળી જતા જીવ બચી ગયો હતો પતિ સાથે બનતુ ના હોય અને તેમને મકાન ખાલી કરવાનુ કહેતા લાગી આવ્યુ હતુ
પોરબંદરના ગીતાનગર વિસ્તારમાં રહેતા વનિતાબેનના પતિ કિશન નારણભાઇ વાઘેલાએ પોતાનુ મકાન તેમના ભાભીના નામે કરી દીધુ હતુ તો બીજી તરફ વનિતાબેનને તેમના પતિ સાથે ભળતુ ન હોય આથી તેમન પતિ કિશન વાઘેલા મકાન ખાલી કરવાનુ કહેતા વનિતાબેનને લાગી આવતા તેમણ ફિનાઈલ પી લેતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya