નવસારીમાં ભયાનક આગ: ચાર મકાનોમાં ફેલાઈ વિનાશ, જાનહાની ટળી
નવસારી, 01 એપ્રિલ (હિ.સ.): નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં બુધવારે અચાનક આગની મોટી ઘટના સામે આવી, જેના કારણે નજીકના વિસ્તારોમાં હાહાકાર મચી ગયો હતો. બાલાપીર દરગાહ નજીક આવેલા એક મકાનમાંથી ઉઠેલા ધુમાડાએ થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આગે
Navsari


નવસારી, 01 એપ્રિલ (હિ.સ.): નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં બુધવારે અચાનક આગની મોટી ઘટના સામે આવી, જેના કારણે નજીકના વિસ્તારોમાં હાહાકાર મચી ગયો હતો. બાલાપીર દરગાહ નજીક આવેલા એક મકાનમાંથી ઉઠેલા ધુમાડાએ થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આગે આસપાસના ત્રણ મકાનોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા.

ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમો તરત જ સ્થળ પર પહોંચી ગઈ અને આગ બુઝાવવા માટે કામગીરી શરૂ કરી દીધી. તેજ પવનના કારણે આગ ઝડપથી ફેલાતી હતી, જેથી આગ પર કાબૂ મેળવવો પડકારજનક બન્યો હતો. ફાયર કર્મચારીઓએ પાણી અને ફોમનો સતત ઉપયોગ કરીને અંતે આગને નિયંત્રણમાં લીધી.

આ ઘટનાના કારણે આસપાસના રહીશોમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી સલામત સ્થળે પહોંચ્યા હતા. સદભાગ્યે, કોઈપણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી, જેનાથી મોટી દુર્ઘટના ટળી ગઈ.

હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. આગના કારણે મકાનોમાં રહેલી સામગ્રી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હોવાથી રહેવાસીઓને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande