
નવી દિલ્હી, 10 એપ્રિલ (હિ.સ.): કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ, શુક્રવારે એક આયાતી ઇલેક્ટ્રિક સ્ટવ વિશે માહિતી શેર કરી જેમાં અદ્યતન ટેકનોલોજી છે, જે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) જેવી જ્વાળાઓ ઉત્પન્ન કરવા માટે વીજળીનો ઉપયોગ કરે છે.
જોશીએ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ગુરુવારે, એક ભારતીય કંપનીએ એક આયાતી સ્ટવનું પ્રદર્શન કર્યું, જે એલપીજી જેવી જ્વાળાઓ ઉત્પન્ન કરવા માટે વીજળીનો ઉપયોગ કરે છે. આ ટેકનોલોજી ખરેખર પ્રભાવશાળી અને નવીન છે, જોશીએ કહ્યું. હું ભારતીય ઉત્પાદકોને આ ટેકનોલોજી અપનાવતા અને દેશમાં મોટા પાયે તેનું ઉત્પાદન કરતા જોવા માંગુ છું.
સોલાર ઉર્જા દ્વારા વીજ ઉત્પાદનને પ્રોત્સાહન આપતી પીએમ સૂર્ય ઘર જેવી યોજનાઓ સાથે જોડવામાં આવે ત્યારે, તે એલપીજી પર નિર્ભરતા ઘટાડવામાં ગેમ ચેન્જર બની શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ