
નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.) અભિનેતા વરુણ ધવનની આગામી ફિલ્મ 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ નિર્દેશક ડેવિડ ધવનની છ વર્ષ પછી દિગ્દર્શનમાં પરત ફરવાની નિશાની છે. તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં બે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ના બાળકોની ઝલક, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ટીઝરના આ ભાગને લઈને ઈન્ટરનેટ પર તીખી પ્રતિક્રિયાઓ પછી હવે ડેવિડ ધવને પહેલીવાર તેના પર પોતાનું મૌન તોડ્યું છે.
ડેવિડ ધવને સ્પષ્ટતા કરી હતી કે,ફિલ્મમાં કોઈ એ. આઈ. નો ઉપયોગ કરાયો નથી. તેમણે કહ્યું કે,આ પ્રકારનો પ્રયોગ માત્ર ટીઝરને અલગ અને રસપ્રદ બનાવવા માટે કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, ફિલ્મમાં એ. આઈ. જેવું કંઈ નથી. તે ટીઝરનો માત્ર એક ભાગ હતો, જેથી દર્શકોને કંઈક નવું જોવા મળે. વાસ્તવિક વાર્તા આનાથી સંપૂર્ણપણે અલગ છે અને જ્યારે ગીતો બહાર આવશે, ત્યારે લોકો ફિલ્મનો સાચો રંગ સમજી શકશે. ડેવિડના નિવેદન પછી, તે સ્પષ્ટ છે કે, ટીઝરમાં દર્શાવવામાં આવેલી ઝલક ફિલ્મની વાર્તાનો ભાગ નથી.
આ ફિલ્મમાં વરુણ ધવનની સાથે મૃણાલ ઠાકુર અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં છે. તેમાં મનીષ પોલ, જિમી શેરગિલ, મૌની રોય અને ચંકી પાંડે પણ મુખ્ય ભૂમિકામાં છે. ડેવિડ અને વરુણની સાથે આ ચોથી ફિલ્મ હશે અને તે 22 મેના રોજ સિનેમાઘરોમાં રજૂ થશે. આ ફિલ્મ અનન્યા પાંડેની ચાંદ મેરા દિલ સાથે ટકરાશે, જે તે જ દિવસે રિલીઝ થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર દુબે/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ