સિક્કિમ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના સ્થાયી કેમ્પસનું, 19 વર્ષ પછી વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન
ગંગટોક, નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની બે દિવસીય સિક્કિમ મુલાકાત દરમિયાન ‘સિક્કિમ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય’ના સ્થાયી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. વિશ્વવિદ્યાલયના સ્થાયી કેમ્પસનું ઉદ્ઘાટન લગભગ 19 વર્ષો પછી થવા જઈ રહ્યું છે. આ
નમો


ગંગટોક, નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની બે દિવસીય સિક્કિમ મુલાકાત દરમિયાન ‘સિક્કિમ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય’ના સ્થાયી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. વિશ્વવિદ્યાલયના સ્થાયી કેમ્પસનું ઉદ્ઘાટન લગભગ 19 વર્ષો પછી થવા જઈ રહ્યું છે. આ સ્થાયી કેમ્પસ નામચી જિલ્લાના યાંગગાંગ વિસ્તારમાં આવેલું છે, જે ગંગટોકથી લગભગ 55 કિલોમીટર દૂર છે.

સિક્કિમના લોકસભા સાંસદ ઈન્દ્ર હાંગ સુબ્બાએ વડાપ્રધાન દ્વારા વિશ્વવિદ્યાલયના સ્થાયી કેમ્પસના ઉદ્ઘાટન બદલ પ્રસન્નતા વ્યક્ત કરી છે. સાથે જ તેમણે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (એસડીએફ) ની, અગાઉની સરકાર પર કેમ્પસની અવગણના કરવાનો અને તેને અધૂરું છોડવાનો આરોપ લગાવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બપોરે, સિક્કિમ પહોંચશે અને એક રોડ શોમાં ભાગ લેશે. મુલાકાતના બીજા અને અંતિમ દિવસે, તેઓ ગંગટોક સ્થિત પાલજોર સ્ટેડિયમમાં સિક્કિમ રાજ્ય સ્થાપનાની 50મી વર્ષગાંઠના સમાપન સમારોહમાં હાજરી આપશે. આ અવસરે તેઓ કાર્યક્રમને સંબોધિત કરશે અને સિક્કિમ વિશ્વવિદ્યાલયના સ્થાયી કેમ્પસ સહિત વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

સત્તારૂઢ સિક્કિમ ક્રાંતિકારી મોરચાના સાંસદ સુબ્બાએ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 19 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ હવે વિશ્વવિદ્યાલય માટે એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2007 માં વિશ્વવિદ્યાલયની સ્થાપના એ હેતુથી કરવામાં આવી હતી કે, તે સિક્કિમના પર્વતીય વિસ્તારોમાં શિક્ષણનો પ્રકાશ બને અને આવનારી પેઢીઓને જ્ઞાન, મર્યાદા અને પ્રગતિની દિશામાં આગળ ધપાવે. તેમણે કહ્યું કે 28 એપ્રિલ, 2026 ના રોજ વડાપ્રધાન દ્વારા સ્થાયી કેમ્પસનું આભાસી માધ્યમથી ઉદ્ઘાટન કરવામાં આવશે.

સાંસદ સુબ્બાએ પૂર્વવર્તી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, લાંબા સમય સુધી વિશ્વવિદ્યાલયનું સ્થાયી પરિસર અટકાયેલું રહ્યું, ઉપેક્ષિત રહ્યું અને અધૂરું પડ્યું રહ્યું. જરૂરી અગ્રતા ન મળવાને કારણે વર્ષો સુધી વિદ્યાર્થીઓ અનિશ્ચિતતામાં અભ્યાસ કરતા રહ્યા અને સંસ્થાને પોતાનું સ્થાયી સ્થાન મળી શક્યું નહીં.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, હવે આ પરિસરના ઉદ્ઘાટન સાથે એક નવો અધ્યાય શરૂ થશે અને તે માત્ર એક ભવન જ નહીં, પરંતુ સત્ય, વિકાસ અને આશાનું પ્રતીક બનશે. તેમણે કામના કરી કે આ વિશ્વવિદ્યાલય એવું કેન્દ્ર બને જ્યાં સંસ્કૃતિ અને વિજ્ઞાન, પરંપરા અને આધુનિકતા, તેમજ સ્થાનિક ઓળખ અને વૈશ્વિક ઉત્કૃષ્ટતાનો સમન્વય થાય.

ઉલ્લેખનીય છે કે, સિક્કિમ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના વર્ષ 2007 માં થઈ હતી, પરંતુ જમીન સંપાદન, વળતર અને અન્ય વિવાદોને કારણે સ્થાયી પરિસરનું નિર્માણ કાર્ય લાંબા સમય સુધી પ્રભાવિત રહ્યું. આટલા વર્ષો સુધી વિશ્વવિદ્યાલય ગંગટોકમાં વિવિધ ભાડાના ભવનોમાંથી સંચાલિત થતું રહ્યું. હવે તેના કેટલાક વિભાગોએ સ્થાયી કેમ્પસમાં કાર્ય કરવાનું શરૂ કરી દીધું છે.

હિન્દુસ્થાન સમાચાર / બિશાલ ગુરુંગ / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande