ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન પ્રથમ વખત વારાણસી પહોંચ્યા, મુખ્યમંત્રી યોગીએ સ્વાગત કર્યું
વારાણસી, નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમના બે દિવસીય પ્રવાસે મંગળવારે વારાણસી પહોંચી રહ્યા છે. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદ
ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન નું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા સ્વાગત


વારાણસી, નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમના બે દિવસીય પ્રવાસે મંગળવારે વારાણસી પહોંચી રહ્યા છે. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બપોરે જ વારાણસી પહોંચી ગયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નવીનના પ્રથમ વખત વારાણસી પહોંચવા પર રાજ્યના વડા યોગી આદિત્યનાથે એરપોર્ટ પર સ્વાગત કર્યું.

બાબતપુર સ્થિત લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના આગમન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મુખ્યમંત્રી યોગીએ તેમને ફૂલોનો ગુલદસ્તો ભેટ આપ્યો. એરપોર્ટ પર ભાજપ અધ્યક્ષનું સ્વાગત કરનારા અન્ય નેતાઓમાં પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરી, સંગઠન મહામંત્રી ધર્મપાલ સિંહ, બંને નાયબ મુખ્યમંત્રીઓ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક, પ્રાદેશિક પ્રમુખ દિલીપ પટેલ, જિલ્લા પ્રમુખ અને એમએલસી હંસરાજ વિશ્વકર્મા, કેબિનેટ મંત્રી અનિલ રાજભર, મંત્રી રવીન્દ્ર જાયસવાલ, મંત્રી ડો. દયાશંકર મિશ્ર દયાળુ, મેયર અશોક તિવારી, જિલ્લા પંચાયત પ્રમુખ પૂનમ મૌર્ય, ધારાસભ્ય ડો. નીલકંઠ તિવારી, ધારાસભ્ય સૌરભ શ્રીવાસ્તવ, ધારાસભ્ય અવધેશ સિંહ, ધારાસભ્ય ત્રિભુવન રામ, વિધાન પરિષદના સભ્ય ધર્મેન્દ્ર સિંહ વગેરે સામેલ રહ્યા.

બીજી તરફ, વડાપ્રધાન મોદીના આગમન પહેલા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારે 11:20 વાગ્યે જ વારાણસીના બાબતપુર સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી ગયા. મુખ્યમંત્રી એરપોર્ટના વીઆઈપી લાઉન્જમાં થોડો સમય રોકાયા અને અધિકારીઓ પાસેથી વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓની માહિતી મેળવી તેમને જરૂરી નિર્દેશો આપ્યા.

ત્યારબાદ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ વારાણસી એરપોર્ટ પહોંચ્યા. એરપોર્ટથી તેઓ સડક માર્ગે શહેર જવા રવાના થયા. રાજ્યપાલ સર્કિટ હાઉસમાં થોડીવાર રોકાયા બાદ બરેકા કાર્યક્રમ સ્થળે પહોંચશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી આવ્યા બાદ બરેકામાં આયોજિત જન આક્રોશ મહિલા સંમેલનને સંબોધિત કરશે. તેઓ મોડી સાંજે આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી અંગે ભાજપ અધ્યક્ષ અને અન્ય નેતાઓ સાથે બેઠક પણ કરી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીધર ત્રિપાઠી / શિવ સિંહ / શ્રીધર ત્રિપાઠી / સુનીલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande