
જૂનાગઢ 29 એપ્રિલ (હિ.સ.) જૂનાગઢની એમ.પી. શાહ સરકારી અંધશાળા, હાથી ખાના મેદાન, એમ.જી. રોડ ખાતે જૂન ૨૦૨૬થી સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુ (દિવ્યાંગ) તથા અંશતઃ પ્રજ્ઞાચક્ષુ (દિવ્યાંગ) બાળકોને વિનામૂલ્ય પ્રવેશ આપવામાં આવે છે.
આ શાળામાં ધોરણ ૧ થી ૮ સુધીનું બ્રેઇલ લિપિમાં શિક્ષણ તેમજ ઉદ્યોગ અને સંગીતમાં વિશારદ સુધીનું શિક્ષણ તથા કોમ્પ્યુટરનું વિશિષ્ટ શિક્ષણ આપવામાં આવે છે. આ સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ (દિવ્યાંગ) બાળકોને અંતેવાસી તરીકે રહેવાની, જમવાની તથા અભ્યાસને લગતી તમામ સગવડ અને રમતગમત, મનોરંજનની તથા બાળકોને જરૂરી એવી દરેક વ્યવસ્થા સરકારશ્રી તરફથી નિશુલ્ક પૂરી પાડવામાં આવે છે.
આ શાળામાં નિશુલ્ક પ્રવેશ મેળવવા માટે સંસ્થાના આચાર્યશ્રીનો સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી રૂબરૂ અથવા ટેલિફોનિક સંપર્ક કરવા વિનંતી છે. તેમજ મોબાઈલ નંબર ૯૯૨૪૯૬૭૧૮૩ પર સંપર્ક કરવા શ્રી એમ.પી. શાહ સરકારી અંધશાળા, જૂનાગઢ આચાર્યની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ