


પોરબંદર, 30 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. કે.વી.પરમારના માર્ગદર્શન હેઠળ કીર્તિમંદિર પોલીસ સ્ટાફે પાંચ જેટલા અરજદારોના ગમ થયેલા મોબાઈલ શોધી પરત કરાવ્યા હતા. કીર્તિ મંદિર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલ મોબાઈલ અંગે અરજદારો દ્વારા કરવામાં આવતી અરજી અન્વયે સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ CEIR PORTAL દ્વારા અરજદાર વિજય જગદેવ બાદરશાહી, પિન્ટુ કીશોરભાઈ શીયાળ, અજય કીશોરભાઇ બાપોદરા, યાસીન જાદવ મુકાદમ અને યુવરાવસિંહ ધર્મેન્દ્રસિંહ જેઠવાના ખોવાયેલ મોબાઈલ શોધી તેરા તુજે અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કર્યા હતા.
કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મીઓની આ કામગીરી ખુબજ સારી હતી જેને બિરદાવવામાં આવી હતી. જે લોકોને વસ્તુઓ પછી મળી તેમણે પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya