'આખરી સવાલ'ને લઈને નિર્માતાઓની ચિંતા વધી
નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.) સંજય દત્તની આગામી ફિલ્મ ''આખરી સવાલ'' 8 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, પરંતુ ફિલ્મનું ટ્રેલર હજુ સુધી સામે આવ્યું નથી. પહેલા એવું માનવામાં આવતું હતું કે, ટ્રેલર 30 એપ્રિલ સુધીમાં રિલીઝ કરી દેવામાં આવશે, પરંતુ
સંજય દત્ત-ફોટો સોર્સ એક્સ


નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.) સંજય દત્તની આગામી ફિલ્મ 'આખરી સવાલ' 8 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, પરંતુ ફિલ્મનું ટ્રેલર હજુ સુધી સામે આવ્યું નથી. પહેલા એવું માનવામાં આવતું હતું કે, ટ્રેલર 30 એપ્રિલ સુધીમાં રિલીઝ કરી દેવામાં આવશે, પરંતુ નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હવે સમાચાર છે કે ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) તરફથી હજુ સુધી મંજૂરી મળી નથી, જેના કારણે ટ્રેલરની રિલીઝ રોકી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સેન્સર બોર્ડે ટ્રેલરમાં કેટલાક ફેરફારો સૂચવ્યા છે. આ જ કારણસર નિર્માતાઓએ હાલ પૂરતું ટ્રેલરનું રિલીઝ ટાળી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેલર લોન્ચ માટે એક ભવ્ય કાર્યક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં ફિલ્મની આખી કાસ્ટ અને ક્રૂ સામેલ થવાના હતા, પરંતુ સેન્સર પ્રક્રિયા પૂરી ન થવાને કારણે આ યોજના આગળ વધી શકી નહીં.

અભિજીત મોહન વારંગના નિર્દેશનમાં બનેલી 'આખરી સવાલ' રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષના પ્રવાસથી પ્રેરિત હોવાનું કહેવાય છે. ફિલ્મમાં સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે અમિત સાધ, નમાશી ચક્રવર્તી, સમીરા રેડ્ડી અને ત્રિધા ચૌધરી પણ મહત્વના પાત્રોમાં જોવા મળશે. હવે દર્શકોની નજર એ વાત પર ટકેલી છે કે ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી ક્યારે મંજૂરી મળે છે અને ટ્રેલર ક્યારે જાહેર કરવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande