
નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, ગુરુવારે બુદ્ધ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓ અને વિશ્વભરમાં ભગવાન બુદ્ધના અનુયાયીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, આ પવિત્ર અવસર ભગવાન બુદ્ધના જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ જેવી ઐતિહાસિક ઘટનાઓની યાદ અપાવે છે. તેમણે કહ્યું કે, ભગવાન બુદ્ધના કરુણા, અહિંસા, શાંતિ અને જ્ઞાનના સંદેશ માનવતાને હંમેશા માર્ગદર્શન આપતા રહેશે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, આજના સમયમાં જ્યારે વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભગવાન બુદ્ધના ઉપદેશો આપણને શાંતિ, સહિષ્ણુતા અને પરસ્પર સદભાવના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે.
તેમણે આ પ્રસંગે દરેકને ભગવાન બુદ્ધના આદર્શો અપનાવવા અને એક શાંતિપૂર્ણ, સમાવેશી તથા ન્યાયપૂર્ણ સમાજના નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પ્રભાત મિશ્રા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ