સુચિત્રા સેનને તેમની જન્મજયંતિ પર, મમતા બેનર્જીએ શ્રદ્ધાંજલિ આપી
કલકતા, નવી દિલ્હી, 06 એપ્રિલ (હિ.સ.) પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે ટ્વિટર દ્વારા, પ્રખ્યાત અભિનેત્રી અને નાયિકા સુચિત્રા સેનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. મુખ્યમંત્રીએ પોતાના સંદેશમાં લખ્યું કે,” તેઓ ભા
સુચિત્રા સેન


કલકતા, નવી દિલ્હી, 06 એપ્રિલ (હિ.સ.)

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે ટ્વિટર દ્વારા, પ્રખ્યાત

અભિનેત્રી અને નાયિકા સુચિત્રા સેનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી.

મુખ્યમંત્રીએ પોતાના સંદેશમાં લખ્યું કે,” તેઓ ભાગ્યશાળી

હતા કે, તેમને તેમના જીવનના અંતિમ તબક્કા દરમિયાન, સુચિત્રા સેનનો સ્નેહ, પ્રેમ અને સ્નેહ

મળ્યો.”

તેમણે ઉલ્લેખ કર્યો કે,” જ્યારે સુચિત્રા સેન જાહેર જીવનમાંથી સંપૂર્ણપણે

દૂર થઈ ગયા હતા, ત્યારે તેમણે

દરરોજ ફક્ત તેમને જ તેમના પલંગ પાસે રહેવા દીધા અને તેમના સ્નેહ દ્વારા તેમને

તેમના પરિવારના સભ્ય બનાવ્યા.”

મમતા બેનર્જીએ કહ્યું કે,” આ અનુભવ તેમના જીવનની સૌથી મોટી

સિદ્ધિઓમાંની એક હતી અને આ સ્મૃતિ હંમેશા તેમના હૃદયમાં અમીટ રહેશે.”

આમ તેમણે સુપ્રસિદ્ધ અભિનેત્રી સુચિત્રા સેનને, આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ આપીને નમન કર્યા.

હિન્દુસ્થાન સમાચાર / ધનંજય પાંડે / સંતોષ મધુપ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande