જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની નવી 3 યોજનાઓ અમલમાં: આઈ-ખેડૂત પોર્ટલ પર 19 જૂન સુધી અરજી કરી શકાશે
જૂનાગઢ, 27 મે (હિ.સ.) : વર્ષ 2026-27 માટે બાગાયત ખાતાની નવી ત્રણ યોજના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. બહુસ્તરીય પધ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ, રાઈઝોમેટીક (આદુ,હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ તથા ફળ પાકોમાં
જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે બાગાયત


જૂનાગઢ, 27 મે (હિ.સ.) : વર્ષ 2026-27 માટે બાગાયત ખાતાની નવી ત્રણ યોજના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. બહુસ્તરીય પધ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ, રાઈઝોમેટીક (આદુ,હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ તથા ફળ પાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉપ્તાદન મેળવવાનો કાર્યક્રમ. આ ત્રણ યોજનાઓનો લાભ મેળવવા માટે જિલ્લાના ખેડુતો માટે તા. 19 જુન 2026 સુધી આઈ ખેડૂત પોર્ટલ (I- Khedut) ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.

વર્ષ 2026-27 આઇ-ખેડુત પોર્ટલ 2.0 પર નોંધણી કરેલ તેમજ નવા નોંધણી થનાર ખેડૂતોએ પોતાનુ આધાર ઓથેન્ટિકેશન ફરજીયાત કરવાનુ રહેશે ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળ અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના થશે. તેમજ વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી,સરદાર બાગ પાસે,નીલમબાગ,લઘુકૃષિભવન જૂનાગઢ (ફોન નં:-0285-2635019), જૂનાગઢ ખાતે રૂબરૂ અથવા ટેલીફોનીક સંપર્ક કરવા જણાવવામાં આવે છે એમ જૂનાગઢ નાયબ બાગાયત નિયામક એ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande