આમલી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સિલવાસા, 28 મે (હિ.સ.) વિશેષ ગહન પુનરીક્ષણ અભિયાન-2026 અંતર્ગત આમલી વિસ્તારમાં મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ચૂંટણી વિભાગના અધિકારીઓએ નાગરિકોને મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારા કરાવવા તેમજ ચૂંટણી સંબંધિત સેવ
મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો


સિલવાસા, 28 મે (હિ.સ.) વિશેષ ગહન પુનરીક્ષણ અભિયાન-2026 અંતર્ગત આમલી વિસ્તારમાં મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ચૂંટણી વિભાગના અધિકારીઓએ નાગરિકોને મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારા કરાવવા તેમજ ચૂંટણી સંબંધિત સેવાઓ અંગે માહિતી આપી હતી.

સ્થાનિક વોર્ડ સભ્યોના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓ, યુવાનો અને નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે દરેક પાત્ર નાગરિકનું નામ મતદાર યાદીમાં નોંધાયેલું હોવું જરૂરી છે, જેથી લોકશાહી પ્રક્રિયા વધુ મજબૂત બની શકે.

કાર્યક્રમ દરમિયાન ચૂંટણી પંચની અધિકૃત વેબસાઈટ, હેલ્પલાઇન નંબર 1950 તથા નિઃશુલ્ક સહાય નંબર 1800 425 2256 અંગે પણ માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત લોકોએ ચૂંટણી પ્રક્રિયા અંગે વિવિધ જાણકારીઓ મેળવી જાગૃતિ દર્શાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande