
ભુવનેશ્વર, નવી દિલ્હી, 14 જૂન (હિ.સ.): રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગણપર્વ રજ નિમિત્તે દેશવાસીઓને, ખાસ કરીને ઓડિશાના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે, વરસાદનું સ્વાગત કરતો આ પરંપરાગત તહેવાર, પૃથ્વી, માતૃત્વ અને પ્રકૃતિ પ્રત્યેના આદરનું પ્રતીક છે.
રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે, રજ પર્વ, પીઠા, પાન અને ઝૂલા જેવા પરંપરાગત કાર્યક્રમો દ્વારા લોકોને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવા માટે પ્રેરણા આપે છે. તેમણે કહ્યું કે, આ તહેવારની લાક્ષણિકતાઓ માત્ર સમાજને એક કરે છે જ નહીં પરંતુ રાષ્ટ્રનિર્માણ અને દેશના વિકાસમાં સક્રિય યોગદાનને પણ પ્રેરણા આપે છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ આશા વ્યક્ત કરી કે, રજ પર્વના સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યો તમામ નાગરિકોને દેશની પ્રગતિ માટે સમર્પિતપણે કાર્ય કરવા પ્રેરણા આપશે.
રજ પર્વના શુભ પ્રસંગે, તેમણે ઓડિશા અને સમગ્ર દેશના લોકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી.
હિન્દુસ્થાન સમાચાર/સુનીતા મહંતો/સત્યવાન
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ