એનસીપીઆઈને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા, અચાનક ચર્ચામાં આવ્યા કુંડુ દંપતી
હાવડા, નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) એક અજાણી અને લગભગ અપરિચિત રાજકીય પાર્ટીમાંથી રાતોરાત રાષ્ટ્રીય રાજકારણના ચર્ચાના કેન્દ્રમાં પહોંચી ગયેલી નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઑફ ઈન્ડિયા (એનસીપીઆઈ)ને લઈને સામાન્ય લોકોમાં ઉત્સુકતા સતત વધી રહી છે. રવિવાર રાત્ર
હાવડાના સાંકરાઇલના હાટગાછા વિસ્તારમાં સ્થિત પાર્ટી મુખ્યાલય


હાવડા, નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) એક અજાણી અને લગભગ અપરિચિત રાજકીય પાર્ટીમાંથી રાતોરાત રાષ્ટ્રીય રાજકારણના ચર્ચાના કેન્દ્રમાં પહોંચી ગયેલી નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઑફ ઈન્ડિયા (એનસીપીઆઈ)ને લઈને સામાન્ય લોકોમાં ઉત્સુકતા સતત વધી રહી છે. રવિવાર રાત્રે તૃણમૂલ કોંગ્રેસના 20 બાગી સાંસદો એનસિપીઆઈમાં જોડાયા હોવાની ખબર સામે આવ્યા બાદ સોમવાર આખો દિવસ આ પક્ષ રાજકીય વર્તુળોમાં ચર્ચાનું મુખ્ય વિષય બન્યો રહ્યો.

હાવડાના સાંકરાઇલના હાટગાછા વિસ્તારમાં સ્થિત આ પાર્ટીના મુખ્યાલયને લઈને રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે, જે મંગળવારે પણ ચાલુ રહી. સાથે સાથે આ પાર્ટીના સંસ્થાપક કુંડુ દંપતી (વકીલ શિયુલી કુંડુ અને તેમના પતિ ઉત્તીય કુંડુ) પણ અચાનક ચર્ચામાં આવી ગયા.

લીલા રંગની બે માળની ઇમારત, ચારેબાજુ દીવાલથી ઘેરાયેલી. ઇમારતની ઉપર મોટા અક્ષરોમાં લખેલું છે ‘જાગો વિશ્વ’. સામે હરિયાળી અને વૃક્ષ-વનસ્પતિથી ઘેરાયેલું પરિસર. આ ઇમારત બકુલતલા બી ગાર્ડેન ગેટથી નાજિરગંજ થઈને હાટગાછા એન.સી. પાલ પોલ પાર કરીને હાટગાછા-બાણીપુર વિસ્તારમાં સ્થિત છે. અંડુલ સ્ટેશનથી પણ અહીં પહોંચી શકાય છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, જે ઇમારતને હાલમાં એનસિપીઆઈના કાર્યાલય તરીકે ઓળખવામાં આવી રહી છે, તે એક સ્વયંસેવી સંસ્થા (એનજીઓ)નું કાર્યાલય પણ છે. પરંતુ આ જ સ્થળેથી રાજકીય પ્રવૃત્તિઓ સંચાલિત થઈ શકે છે, તેનો અંદાજ આસપાસ રહેતા લોકોને નહોતો.

માહિતી મુજબ, એનસિપીઆઈની સ્થાપના વર્ષ 2022માં થઈ હતી. પાર્ટીના સંસ્થાપક તરીકે વકીલ શિયુલી કુંડુ અને તેમના પતિ ઉત્તીય કુંડુનું નામ સામે આવ્યું છે. વર્ષ 2023ના પંચાયત ચૂંટણી દરમિયાન સંગઠને રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને એનસિપીઆઈના ચૂંટણી ચિહ્ન પર સ્થાનિક ઝોઢહાટ ગ્રામ પંચાયતમાં ઉમેદવારો પણ ઉતાર્યા હતા. એનજીઓના સંચાલન અને એનસિપીઆઈના સંસ્થાપક હોવા ઉપરાંત ઉત્તીય કુંડુ ‘જાગો વિશ્વ’ નામના સમાચારપત્રના સંપાદક પણ છે.

મંગળવારે સ્થાનિક રહેવાસીઓના એક વર્ગે જણાવ્યું કે, ‘જાગો વિશ્વ’ લાંબા સમયથી રાહત વિતરણ, આરોગ્ય શિબિરોના આયોજન, ગરીબોની મદદ તથા અન્ય સામાજિક કાર્યોથી જોડાયેલું રહ્યું છે. જોકે, આ સંસ્થાના કાર્યાલયનો કોઈ રાજકીય પક્ષના મુખ્યાલય સાથે સંબંધ હોઈ શકે છે, તેની તેમને કોઈ જાણકારી નહોતી.

સ્થાનિક રહેવાસી અને યુટ્યુબર રાજ મલ્લિક, જેમણે પોતાને ઉત્તીય કુંડુના પરિચિત તરીકે ઓળખાવ્યા, તેમણે કહ્યું, “હું જાણતો હતો કે ઉત્તીય બાબુ એક સ્વયંસેવી સંગઠન ચલાવે છે, પરંતુ તેઓ કોઈ રાજકીય સંગઠનના સંસ્થાપક છે, એવી માહિતી નહોતી.” અન્ય એક સ્થાનિક રહેવાસી અને પત્રકાર દિવ્યેન્દુ ઘોષે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતાં લખ્યું, “તેમનું ઘર મારા ઘર પાસે જ છે. એનસિપીઆઈનું આ મુખ્યાલય અહીં જ છે, પરંતુ મને કંઈ પણ ખબર નહોતી. મેં તો આ પાર્ટીનું નામ પણ સાંભળ્યું નહોતું.”

કાર્યાલયની બહાર પહેલેથી જ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મંગળવાર સવારે પણ સ્થાનિક લોકોને ઘરના આસપાસ જિજ્ઞાસાવશ આવતાં-જતાં જોવામાં આવ્યા. હાટગાછા જેવા ઉપનગરીય વિસ્તારમાં હવે આ ઇમારતને લઈને ચાની દુકાનોથી લઈને ઘરના અંદર સુધી ચર્ચાનું વાતાવરણ છે.

સમગ્ર મામલે પ્રતિક્રિયા જાણવા માટે ઉત્તીય કુંડુ અને શિયુલી કુંડુ સાથે ફોન પર અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમના મોબાઇલ ફોન બંધ મળ્યા.

હિન્દુસ્થાન સમાચાર / સંતોષ મધુપ / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande