ચેન્નઈ એરપોર્ટ પર લગભગ 5 કરોડ રૂપિયાનું ક્રિસ્ટલ મેથ ઝડપાયું, તસ્કર પાર્સલ છોડીને ફરાર
ચેન્નઈ, નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) ચેન્નઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે કસ્ટમ વિભાગે લગભગ પાંચ કરોડ રૂપિયાના મૂલ્યની મેથામફેટામાઇન (ક્રિસ્ટલ મેથ)ની જથ્થાબંધ ખેપ જપ્ત કરી છે. આ નશીલો પદાર્થ એક લાવારિસ પાર્સલમાંથી મળી આવ્યો હતો, જેને વિદેશ મોકલવાની યોજના હ
ચેન્નાઈ એરપોર્ટ પરથી ઝડપાયેલ ક્રિસ્ટલ મેથ


ચેન્નઈ, નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) ચેન્નઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે કસ્ટમ વિભાગે લગભગ પાંચ કરોડ રૂપિયાના મૂલ્યની મેથામફેટામાઇન (ક્રિસ્ટલ મેથ)ની જથ્થાબંધ ખેપ જપ્ત કરી છે. આ નશીલો પદાર્થ એક લાવારિસ પાર્સલમાંથી મળી આવ્યો હતો, જેને વિદેશ મોકલવાની યોજના હતી. ઘટનાના બાદ પાર્સલ છોડીને ફરાર થયેલા લોકોની શોધ તેજ કરી દેવામાં આવી છે.

વિભાગીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવાઈ મથકે નિયમિત તપાસ દરમિયાન કસ્ટમ અધિકારીઓને એક શંકાસ્પદ લાવારિસ પાર્સલ મળ્યું. શંકા થતા જ્યારે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી, ત્યારે તેમાં મોટા પ્રમાણમાં ક્રિસ્ટલ મેથ છુપાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ અને કસ્ટમ વિભાગની સંયુક્ત ટીમે તાત્કાલિક કાર્યવાહી કરતાં નશીલા પદાર્થને પોતાના કબજામાં લઈ લીધો અને વિગતવાર તપાસ શરૂ કરી.

પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ખેપ કાર્ગો વિમાન મારફતે મલેશિયા મોકલવાની હતી. મામલો ખુલાસા બાદ હવાઈ મથકે મુસાફરો અને કાર્ગો સામાનની તપાસ વધુ કડક કરી દેવામાં આવી છે.

અધિકારીઓને આશંકા છે કે, તપાસની વધતી કડકાઈને કારણે તસ્કર પાર્સલ છોડીને સ્થળ પરથી ફરાર થઈ ગયા. ઘટનાના બાદ હવાઈ મથક પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે, તેમજ શંકાસ્પદ વ્યક્તિઓના મુસાફરી વિગતો અને અન્ય દસ્તાવેજોની પણ બારીકીથી તપાસ ચાલી રહી છે.

કસ્ટમ વિભાગે મામલાને ગંભીરતાથી લઈને તસ્કરી નેટવર્કની ઓળખ કરવા માટે વ્યાપક તપાસ અભિયાન શરૂ કર્યું છે. અધિકારીઓનું કહેવું છે કે, ટૂંક સમયમાં આ ગેંગ સાથે જોડાયેલા લોકોની ઓળખ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં તાજેતરના વર્ષોમાં નશીલા પદાર્થોની તસ્કરી અને ગેરકાયદે હેરફેરના મામલાઓમાં વધારો જોવા મળ્યો છે. તેને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ સતત નજરદારી અને તપાસને મજબૂત કરી રહી છે. તાજેતરની જપ્તીને અધિકારીઓએ મોટી સફળતા ગણાવી છે, જે આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કરી નેટવર્ક પર અંકુશ લાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / ડો વારા પ્રસાદ / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande