
- બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર સુધી ઉન્નત કર્યા
નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) થાઇલેન્ડના બેંગકોકમાં યોજાયેલા 10મા રક્ષા સંમેલનમાં ભારત સાથે દ્વિપક્ષીય રક્ષા સહકારના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવી. બંને દેશોએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા મુદ્દાઓ પર વિચારોનો આદાનપ્રદાન કર્યો.
થાઇલેન્ડના રક્ષા ઉપ સ્થાયી સચિવ એડમિરલ નટ્ટાપોલ ડીએવવાનિચ અને ભારત સરકારના રક્ષા મંત્રાલયના સંયુક્ત સચિવ સત્યજીત મોહંતીની સહ-અધ્યક્ષતામાં યોજાયેલા સંમેલનમાં બંને પક્ષોએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં વિકસતા સુરક્ષા પરિદૃશ્ય પર ચર્ચા સાથે પ્રાદેશિક ઘટનાઓ અંગે પોતાના વિચારો પણ વહેંચ્યા. તેમણે ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે સહકાર મજબૂત કરવાની મહત્વતા ફરીથી દોહરાવી.
પ્રતિનિધિમંડળોએ અગાઉની વાતચીત પછીથી દ્વિપક્ષીય રક્ષા સહકારમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી. ચર્ચામાં હાલમાં ચાલી રહેલા સૈન્ય સંકલન, ક્ષમતા નિર્માણ પહેલ, તાલીમ આદાન-પ્રદાન, દરિયાઈ સહકાર અને પરસ્પર હિતના અન્ય ક્ષેત્રોનો સમાવેશ થયો. આ સંવાદમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલા રક્ષા ઉદ્યોગ સહકારની પણ સમીક્ષા કરવામાં આવી. બંને પક્ષોએ પોતાના-પોતાના રક્ષા તંત્રો વચ્ચે પરસ્પર લાભદાયી ભાગીદારીને પ્રોત્સાહન આપવાના હેતુથી રક્ષા ઉત્પાદન, સંશોધન, નવીનતા અને ક્ષમતા વિકાસમાં સહકારને વધુ ગાઢ બનાવવા માટેના અવસરો પર ચર્ચા કરી.
પ્રતિનિધિમંડળોએ દક્ષિણ પૂર્વ એશીયાઈ રાષ્ટ્ર સંગઠન (આસિયાન)ના નેતૃત્વવાળા તંત્રો સહિત પ્રાદેશિક અને બહુપક્ષીય રક્ષા માળખાં હેઠળના સહકાર અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું. તેમણે વ્યવહારુ સહકારને મજબૂત બનાવવા અને સંવાદ તથા સહકાર દ્વારા સામૂહિક સુરક્ષા પડકારોનો ઉકેલ લાવવા પોતાની પ્રતિબદ્ધતા પુનઃપુષ્ટિ કરી. બેઠકનો સમાપન ભવિષ્યની પ્રવૃત્તિઓ અને દ્વિપક્ષીય રક્ષા સહકારને વધુ મજબૂત બનાવવા સાથે થયો.
હિન્દુસ્થાન સમાચાર / સુનીત નિગમ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ