અંક ચકાસણી, ઉત્તરવહી પુનર્મૂલ્યાંકન માટે સીબીએસઈનું ઑનલાઇન પોર્ટલ લાઇવ
નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.). કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)નું માર્ક્સના વેરિફિકેશન અને ઉત્તરવહીઓના પુનર્મૂલ્યાંકન માટે મંગળવારે ઑનલાઇન પોર્ટલ સક્રિય થઈ ગયું. સીબીએસઈએ તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર જણાવ્યું કે, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ
સીબીએસઈ


નવી દિલ્હી, 02 જૂન (હિ.સ.). કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)નું માર્ક્સના વેરિફિકેશન અને ઉત્તરવહીઓના પુનર્મૂલ્યાંકન માટે મંગળવારે ઑનલાઇન પોર્ટલ સક્રિય થઈ ગયું. સીબીએસઈએ તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર જણાવ્યું કે, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સત્તાવાર ઑનલાઇન પોર્ટલ હવે સક્રિય થઈ ગયું છે. તેની સત્તાવાર સૂચના સીબીએસઈની મુખ્ય વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.

આ પહેલાં, 26 મેના રોજ લાઇવ થનારા આ ઑનલાઇન પોર્ટલની ટેકનિકલ ખામીઓને કારણે સમયમર્યાદા વધારીને 1 જૂન કરવામાં આવી હતી, પરંતુ અન્ય કારણોસર આ દિવસે પણ શરૂ થઈ શક્યું ન હતું. આજે તે લાઇવ થઈ ગયું છે. સીબીએસઈએ વિદ્યાર્થીઓ માટે સત્તાવાર પોર્ટલ લિંક: postresult.cbseit.in/pvr/ શેર કરી છે. આના પર વિદ્યાર્થીઓ તેમના માર્ક્સના વેરિફિકેશન અને ઉત્તરવહીઓના પુનર્મૂલ્યાંકન માટે સૂચનાઓના વીડિયો જોઈને અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, સીબીએસઈ તેની બોર્ડ પરીક્ષાના માર્ક્સથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહીઓની ફરીથી તપાસ કરાવવાની તક આપી રહી છે. આ પ્રક્રિયા મુખ્યત્વે ત્રણ તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં માર્ક્સનું વેરિફિકેશન, બીજા તબક્કામાં મૂલ્યાંકન શીટની ફોટોકોપી અને ત્રીજા તબક્કામાં પુનર્મૂલ્યાંકન થશે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande