સોમનાથ મહાદેવ પટાંગણમાં શ્રીમદ ભાગવતમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ લીધો કથાનો લાભ
ગીર સોમનાથ 2 જૂન (હિ.સ.) સોમનાથના સાનિધ્ય પવિત્ર પુરુષોત્તમ માસના પાવનકારી દિવસોમાં સુપ્રસિદ્ધ કથાકાર દેવકીનંદન ઠાકુરજીના દિવ્ય વાણીમાં યાત્રિકો શ્રોતાઓ ભક્તિરસ તરબોળ બન્યા છે વ્રજભૂમિના સુપ્રસિદ્ધ કથાકાર દેવકીનંદન ઠાકુરના વ્યાસપીઠે સોમનાથ મહાદે
સોમનાથ મહાદેવ ભટાંગણમાં


ગીર સોમનાથ 2 જૂન (હિ.સ.) સોમનાથના સાનિધ્ય પવિત્ર પુરુષોત્તમ માસના પાવનકારી દિવસોમાં સુપ્રસિદ્ધ કથાકાર દેવકીનંદન ઠાકુરજીના દિવ્ય વાણીમાં યાત્રિકો શ્રોતાઓ ભક્તિરસ તરબોળ બન્યા છે

વ્રજભૂમિના સુપ્રસિદ્ધ કથાકાર દેવકીનંદન ઠાકુરના વ્યાસપીઠે સોમનાથ મહાદેવ પટાંગણમાં તારીખ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિશાળ પ્રમાણમાં ભાવિક સમુદાયિક કથા શ્રવણ કરે છે પૂજ્ય દેવકીનંદન ઠાકુરજીની કથાઓ આમ તો દેશ વિદેશમાં ચાલતી જ રહેતી હોય છે પરંતુ આ વર્ષથી નવો સંકલ્પ જાહેર કરાયો છે કે દર વર્ષના ઉનાળા વેકેશનમાં ભારતના બાર જ્યોતિર્લિંગમાં કથા કરવી જેનો પ્રારંભ ભારતના 12 જ્યોતિર્લિંગ પ્રથમ સોમનાથ થી કરાવ્યો છે પૂજ્ય દેવકીનંદન ઠાકુરજીનું સ્વપ્ન છે કે સાયન્સ વિથ સનાતન આવરી લેતું ગુરુકુળ બને જેને માટે નિર્માણ કાર્ય પ્રયત્નો ચાલુ કરાયા છે વિશ્વ શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરુજીની પ્રેરણાથી ગૌશાળા ચાલી રહી છે સનાતન ધર્મના પ્રકાર હિમાયતી દેવકીનંદન ઠાકુરજીની ઈચ્છા છે કે દિવસોમાં સનાતન ધર્મના સિદ્ધાંતો અનુસરવા જોઈએ આ ધર્મ કાર્યમાં મુખ્ય યજમાન બીનીતા શૈલેષ સિંધલજી અને સહ યજમાન રીના અને કૃષ્ણકુમારજી રહેલ છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande