રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાતે મધ્યપ્રદેશના માર્ગ અને મકાન વિભાગના મંત્રી રાકેશ સિંહ
ગાંધીનગર, 03 જૂન (હિ.સ.) : મધ્યપ્રદેશ સરકારના માર્ગ અને મકાન વિભાગના મંત્રી રાકેશ સિંહે ગાંધીનગર ખાતે ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ અને મંત્રી વચ્ચે બંને રાજ્યોના વિવિધ વિકાસલક્
ગુજરાત લોકભવન


ગાંધીનગર, 03 જૂન (હિ.સ.) : મધ્યપ્રદેશ સરકારના માર્ગ અને મકાન વિભાગના મંત્રી રાકેશ સિંહે ગાંધીનગર ખાતે ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ અને મંત્રી વચ્ચે બંને રાજ્યોના વિવિધ વિકાસલક્ષી કાર્યો અને લોકકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે અત્યંત સાર્થક અને ગહન ચર્ચા થઈ હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મધ્યપ્રદેશમાં થઈ રહેલા વિકાસ કાર્યોમાં રાકેશ સિંહના યોગદાનની પ્રશંસા કરી હતી.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, એક જનપ્રતિનિધિ તરીકે રાકેશ સિંહનો બહોળો અનુભવ અને સમાજ પ્રત્યેનું તેમનું અતૂટ સમર્પણ ખૂબ જ પ્રશંસનીય છે. મંત્રી રાકેશ સિંહે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અને ગ્રામ વિકાસના ક્ષેત્રે થઈ રહેલા કાર્યો વિશે ઉત્સુકતા દર્શાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande