નીટ વિદ્યાર્થીની આકાંક્ષાની આત્મહત્યાને રાહુલ ગાંધીએ નિષ્ફળ વ્યવસ્થાનું પરિણામ ગણાવ્યું
નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.). કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ, મધ્ય પ્રદેશની નીટ વિદ્યાર્થીની આકાંક્ષા ચતુર્વેદીની આત્મહત્યાને ભ્રષ્ટ અને નિષ્ફળ વ્યવસ્થાનું પરિણામ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, છેલ્લા વર્ષોમાં શિક્ષણ વ્યવસ્
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી


નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.). કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ, મધ્ય પ્રદેશની નીટ વિદ્યાર્થીની આકાંક્ષા ચતુર્વેદીની આત્મહત્યાને ભ્રષ્ટ અને નિષ્ફળ વ્યવસ્થાનું પરિણામ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, છેલ્લા વર્ષોમાં શિક્ષણ વ્યવસ્થાને ગંભીર નુકસાન થયું છે અને તેની કિંમત દેશના યુવાનો ચૂકવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ ગુરુવારે એક્સ પર કહ્યું કે, આકાંક્ષા ડોક્ટર બનીને દેશ અને સમાજની સેવા કરવા માંગતી હતી. તેના પિતા ખેડૂત છે, જેમણે દીકરીના અભ્યાસ માટે કિસાન ક્રેડિટ કાર્ડ પર ત્રણ લાખ રૂપિયાની લોન લીધી અને નાગપુરમાં રસોઈયાનું કામ કર્યું જેથી તે મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી શકે. પરિવારે પોતાની તરફથી શક્ય તમામ પ્રયાસો કર્યા, પરંતુ નીટ પ્રશ્નપત્ર લીક થવા અને પરીક્ષાને લઈને સર્જાયેલી અનિશ્ચિતતા વચ્ચે આકાંક્ષાએ પોતાનો જીવ આપી દીધો.

તેમણે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, આ મામલે અત્યાર સુધી માત્ર સમિતિઓ અને તપાસની જાહેરાતો થઈ છે, પરંતુ ન તો વ્યવસ્થામાં સુધારો થયો અને ન તો દોષિતોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવ્યા.

નોંધનીય છે કે, મધ્ય પ્રદેશના મઉગંજ જિલ્લાની રહેવાસી 18 વર્ષીય આકાંક્ષા ચતુર્વેદી નાગપુરમાં રહીને મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહી હતી. 20 મેના રોજ આકાંક્ષાએ આત્મહત્યા કરી લીધી. થોડા દિવસો પછી પરિવારને તેનો હસ્તલિખિત પત્ર મળ્યો, જેમાં તેણે પોતાના માતા-પિતા પાસે માફી માંગી હતી.

પત્રમાં આકાંક્ષાએ લખ્યું હતું કે, તેના માતા-પિતાને તેની પાસેથી ડોક્ટર બનવાની અપેક્ષા હતી, પરંતુ હવે તેનામાં ફરીથી નીટ પરીક્ષા આપવાની હિંમત બચી નથી. તેણે એ પણ લખ્યું કે, પ્રથમ પ્રયાસમાં તેને સારા ગુણ મળવાની આશા હતી, પરંતુ પરિસ્થિતિઓને કારણે તેનો આત્મવિશ્વાસ તૂટી ગયો અને તેને પોતાના ભવિષ્યને લઈને ભરોસો રહ્યો નહીં. પત્રના અંતમાં તેણે પોતાના માતા-પિતા પાસે ક્ષમા માંગતા પોતાને તેમની અપેક્ષાઓ પર ખરા ન ઉતરી શકવા બદલ જવાબદાર ઠેરવી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande